दुर्भावनातिमिरसंहतिचन्द्रकीर्तिम् ।
या संमता भवति संयमिनामजस्रम् ।।१४०।।
निजमुखसुखवार्धिप्रस्फारपूर्णशशिप्रभा ।
मुनिवरगणस्योच्चैः सालंक्रिया जगतामपि ।।१४१।।
[શ્લોકાર્થઃ — ] જે (સમતા) મુક્તિસુંદરીની સખી છે, જે મોક્ષસૌખ્યનું મૂળ છે, જે દુર્ભાવનારૂપી તિમિરસમૂહને (હણવા) માટે ચંદ્રના પ્રકાશ સમાન છે અને જે સંયમીઓને નિરંતર સંમત છે, તે સમતાને હું અત્યંત ભાવું છું. ૧૪૦.
[શ્લોકાર્થઃ — ] જે યોગીઓને પણ દુર્લભ છે, જે નિજાભિમુખ સુખના સાગરમાં ભરતી લાવવા માટે પૂર્ણ ચંદ્રની પ્રભા (સમાન) છે, જે પરમ સંયમીઓની દીક્ષારૂપી સ્ત્રીના મનને વહાલી સખી છે અને જે મુનિવરોના સમૂહનું તેમ જ ત્રણ લોકનું પણ અતિશયપણે આભૂષણ છે, તે સમતા સદા જયવંત છે. ૧૪૧.
અન્વયાર્થઃ — [निःकषायस्य] જે નિઃકષાય છે, [दान्तस्य] *દાન્ત છે, [शूरस्य] શૂરવીર છે, [व्यवसायिनः] વ્યવસાયી ( – શુદ્ધતા પ્રત્યે ઉદ્યમવંત) છે અને [संसारभयभीतस्य]
*દાન્ત = જેણે ઇન્દ્રિયોનું દમન કર્યું હોય એવો; જેણે ઇન્દ્રિયોને વશ કરી હોય એવો; સંયમી.