Niyamsar (Gujarati). Shlok: 152 Gatha: 108.

< Previous Page   Next Page >


Page 208 of 380
PDF/HTML Page 237 of 409

 

નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
उक्तं चोपासकाध्ययने
(आर्या)
‘‘आलोच्य सर्वमेनः कृतकारितमनुमतं च निर्व्याजम्
आरोपयेन्महाव्रतमामरणस्थायि निःशेषम् ।।’’
तथा हि
आलोच्यालोच्य नित्यं सुकृतमसुकृतं घोरसंसारमूलं
शुद्धात्मानं निरुपधिगुणं चात्मनैवावलम्बे
पश्चादुच्चैः प्रकृतिमखिलां द्रव्यकर्मस्वरूपां
नीत्वा नाशं सहजविलसद्बोधलक्ष्मीं व्रजामि
।।१५२।।
आलोयणमालुंछण वियडीकरणं च भावसुद्धी य
चउविहमिह परिकहियं आलोयणलक्खणं समए ।।१०८।।

કર્મોથી રહિત) ચૈતન્યસ્વરૂપ આત્મામાં આત્માથી જ (પોતાથી જ) નિરંતર વર્તું છું.’’

વળી ઉપાસકાધ્યયનમાં (શ્રી સમંતભદ્રસ્વામીકૃત રત્નકરંડશ્રાવકાચારમાં ૧૨૫મા શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ

‘‘[શ્લોકાર્થઃ] કરેલા, કરાવેલા અને અનુમોદેલા સર્વ પાપને કપટરહિતપણે આલોચીને, મરણપર્યંત રહેનારું, નિઃશેષ (પરિપૂર્ણ) મહાવ્રત ધારણ કરવું.’’

વળી (આ ૧૦૭ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છે)ઃ

[શ્લોકાર્થઃ] ઘોર સંસારનાં મૂળ એવાં સુકૃત અને દુષ્કૃતને સદા આલોચી આલોચીને હું નિરુપાધિક (-સ્વાભાવિક) ગુણવાળા શુદ્ધ આત્માને આત્માથી જ અવલંબું છું. પછી દ્રવ્યકર્મસ્વરૂપ સમસ્ત પ્રકૃતિને અત્યંત નાશ પમાડીને સહજવિલસતી જ્ઞાનલક્ષ્મીને હું પામીશ. ૧૫૨.

આલોચનાનું રૂપ ચઉવિધ વર્ણવ્યું છે શાસ્ત્રમાં,
આલોચના, આલુંછના, અવિકૃતિકરણ ને શુદ્ધતા. ૧૦૮.

૨૦૮ ]