आलोचनालक्षणभेदकथनमेतत् ।
भगवदर्हन्मुखारविन्दविनिर्गतसकलजनताश्रुतिसुभगसुन्दरानन्दनिष्यन्द्यनक्षरात्मकदिव्य- ध्वनिपरिज्ञानकुशलचतुर्थज्ञानधरगौतममहर्षिमुखकमलविनिर्गतचतुरसन्दर्भगर्भीकृतराद्धान्तादि- समस्तशास्त्रार्थसार्थसारसर्वस्वीभूतशुद्धनिश्चयपरमालोचनायाश्चत्वारो विकल्पा भवन्ति । ते वक्ष्यमाणसूत्रचतुष्टये निगद्यन्त इति ।
અન્વયાર્થઃ — [इह] હવે, [आलोचनलक्षणं] આલોચનાનું સ્વરૂપ [आलोचनम्] [भावशुद्धिः च] ૪ભાવશુદ્ધિ [चतुर्विधं] એમ ચાર પ્રકારનું [समये] શાસ્ત્રમાં [परिकथितम्] કહ્યું છે.
ટીકાઃ — આ, આલોચનાના સ્વરૂપના ભેદોનું કથન છે.
ભગવાન અર્હંતના મુખારવિંદથી નીકળેલો, (શ્રવણ માટે આવેલ) સકળ જનતાને શ્રવણનું સૌભાગ્ય મળે એવો, સુંદર-આનંદસ્યંદી (સુંદર-આનંદઝરતો), અનક્ષરાત્મક જે દિવ્યધ્વનિ, તેના પરિજ્ઞાનમાં કુશળ ચતુર્થજ્ઞાનધર (મનઃપર્યયજ્ઞાનધારી) ગૌતમમહર્ષિના મુખકમળથી નીકળેલી જે ચતુર વચનરચના, તેના ગર્ભમાં રહેલાં રાદ્ધાંતાદિ ( – સિદ્ધાંતાદિ) સમસ્ત શાસ્ત્રોના અર્થસમૂહના સારસર્વસ્વરૂપ શુદ્ધ-નિશ્ચય-પરમ-આલોચનાના ચાર ભેદો છે. તે ભેદો હવે પછી કહેવામાં આવતાં ચાર સૂત્રોમાં કહેવાશે.
[હવે આ ૧૦૮મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ]
૧આલોચન, [आलुंछनम्] ૨આલુંછન, [अविकृतिकरणम्] ૩અવિકૃતિકરણ [च] અને
૧. પોતે પોતાના દોષો સૂક્ષ્મતાથી જોઈ જવા અથવા ગુરુ પાસે પોતાના દોષોનું નિવેદન કરવું તે વ્યવહાર-આલોચન છે. નિશ્ચય-આલોચનનું સ્વરૂપ ૧૦૯મી ગાથામાં કહેવામાં આવશે.
૨. આલુંછન = (દોષોનું) આલુંચન અર્થાત્ ઉખેડી નાખવું તે
૩. અવિકૃતિકરણ = વિકારરહિતતા કરવી તે
૪. ભાવશુદ્ધિ = ભાવોને શુદ્ધ કરવા તે