परिणामं समतावलंबनं कृत्वा परमसंयमीभूत्वा तिष्ठति; तदेवालोचनास्वरूपमिति हे शिष्य
त्वं जानीहि परमजिननाथस्योपदेशात् इत्यालोचनाविकल्पेषु प्रथमविकल्पोऽयमिति ।
यो मुक्ति श्रीविलासानतनुसुखमयान् स्तोककालेन याति ।
तं वंदे सर्ववंद्यं सकलगुणनिधिं तद्गुणापेक्षयाहम् ।।१५४।।
ज्ञानज्योतिःप्रहतदुरितध्वान्तपुंजः पुराणः ।
न्नारातीये परमपुरुषे को विधिः को निषेधः ।।१५५।।
અવલોકન વડે નિરંતર દેખે છે (અર્થાત્ જે જીવ કારણપરમાત્માને સર્વથા અંતર્મુખ એવું જે નિજ સ્વભાવમાં લીન સહજ-અવલોકન તેના વડે નિરંતર દેખે છે — અનુભવે છે); શું કરીને દેખે છે? પહેલાં નિજ પરિણામને સમતાવલંબી કરીને, પરમસંયમીભૂતપણે રહીને દેખે છે; તે જ આલોચનાનું સ્વરૂપ છે એમ, હે શિષ્ય! તું પરમ જિનનાથના ઉપદેશ દ્વારા જાણ. — આમ આ, આલોચનાના ભેદોમાં પ્રથમ ભેદ થયો. [હવે આ ૧૦૯મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ છ શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ — ] આ પ્રમાણે જે આત્મા આત્માને આત્મા વડે આત્મામાં અવિચળ રહેઠાણવાળો દેખે છે, તે અનંગ-સુખમય (અતીંદ્રિય આનંદમય) એવા મુક્તિલક્ષ્મીના વિલાસોને અલ્પ કાળમાં પામે છે. તે આત્મા સુરેશોથી, સંયમધરોની પંક્તિઓથી, ખેચરોથી ( – વિદ્યાધરોથી) અને ભૂચરોથી ( – ભૂમિગોચરીઓથી) વંદ્ય છે. હું તે સર્વવંદ્ય સકળગુણનિધિને ( – સર્વથી વંદ્ય એવા સમસ્ત ગુણોના ભંડારને) તેના ગુણોની અપેક્ષાથી ( – અભિલાષાથી) વંદું છું. ૧૫૪.
[શ્લોકાર્થઃ — ] જેણે જ્ઞાનજ્યોતિ વડે પાપતિમિરના પુંજનો નાશ કર્યો છે અને જે