मनसि मुनिवराणां गोचरः शुद्धशुद्धः ।
परमसुखसमुद्रः शुद्धबोधोऽस्तनिद्रः ।।१७०।।
भावशुद्धयभिधानपरमालोचनास्वरूपप्रतिपादनद्वारेण शुद्धनिश्चयालोचनाधिकारोप- संहारोपन्यासोऽयम् । (સુમધુર) વાણીનો કે સત્ય વાણીનો પણ વિષય નથી; તોપણ ગુરુનાં વચનો વડે તેને પામીને જે શુદ્ધ દ્રષ્ટિવાળો થાય છે, તે પરમશ્રીરૂપી કામિનીનો વલ્લભ થાય છે (અર્થાત્ મુક્તિસુંદરીનો પતિ થાય છે). ૧૬૯.
[શ્લોકાર્થઃ — ] જેણે સહજ તેજથી રાગરૂપી અંધકારનો નાશ કર્યો છે, જે મુનિવરોના મનમાં વસે છે, જે શુદ્ધ-શુદ્ધ છે, જે વિષયસુખમાં રત જીવોને સર્વદા દુર્લભ છે, જે પરમ સુખનો સમુદ્ર છે, જે શુદ્ધ જ્ઞાન છે અને જેણે નિદ્રાનો નાશ કર્યો છે, તે આ (શુદ્ધ આત્મા) જયવંત છે. ૧૭૦.
અન્વયાર્થઃ — [मदमानमायालोभविवर्जितभावः तु] મદ (મદન), માન, માયા અને લોભ રહિત ભાવ તે [भावशुद्धिः] ભાવશુદ્ધિ છે [इति] એમ [भव्यानाम्] ભવ્યોને [लोकालोकप्रदर्शिभिः] લોકાલોકના દ્રષ્ટાઓએ [परिकथितः] કહ્યું છે.
ટીકાઃ — આ, ભાવશુદ્ધિનામક પરમ-આલોચનાના સ્વરૂપના પ્રતિપાદન દ્વારા શુદ્ધ- નિશ્ચય-આલોચના અધિકારના ઉપસંહારનું કથન છે.