Niyamsar (Gujarati). Shlok: 170 Gatha: 112.

< Previous Page   Next Page >


Page 219 of 380
PDF/HTML Page 248 of 409

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]
પરમ-આલોચના અધિકાર
[ ૨૧૯
(मालिनी)
जयति सहजतेजःप्रास्तरागान्धकारो
मनसि मुनिवराणां गोचरः शुद्धशुद्धः
विषयसुखरतानां दुर्लभः सर्वदायं
परमसुखसमुद्रः शुद्धबोधोऽस्तनिद्रः
।।१७०।।
मदमाणमायलोहविवज्जियभावो दु भावसुद्धि त्ति
परिकहियं भव्वाणं लोयालोयप्पदरिसीहिं ।।११२।।
मदमानमायालोभविवर्जितभावस्तु भावशुद्धिरिति
परिकथितो भव्यानां लोकालोकप्रदर्शिभिः ।।११२।।

भावशुद्धयभिधानपरमालोचनास्वरूपप्रतिपादनद्वारेण शुद्धनिश्चयालोचनाधिकारोप- संहारोपन्यासोऽयम् (સુમધુર) વાણીનો કે સત્ય વાણીનો પણ વિષય નથી; તોપણ ગુરુનાં વચનો વડે તેને પામીને જે શુદ્ધ દ્રષ્ટિવાળો થાય છે, તે પરમશ્રીરૂપી કામિનીનો વલ્લભ થાય છે (અર્થાત મુક્તિસુંદરીનો પતિ થાય છે). ૧૬૯.

[શ્લોકાર્થઃ] જેણે સહજ તેજથી રાગરૂપી અંધકારનો નાશ કર્યો છે, જે મુનિવરોના મનમાં વસે છે, જે શુદ્ધ-શુદ્ધ છે, જે વિષયસુખમાં રત જીવોને સર્વદા દુર્લભ છે, જે પરમ સુખનો સમુદ્ર છે, જે શુદ્ધ જ્ઞાન છે અને જેણે નિદ્રાનો નાશ કર્યો છે, તે આ (શુદ્ધ આત્મા) જયવંત છે. ૧૭૦.

ત્રણ લોક તેમ અલોકના દ્રષ્ટા કહે છે ભવ્યને
મદમાનમાયાલોભવર્જિત ભાવ ભાવવિશુદ્ધિ છે. ૧૧૨.

અન્વયાર્થઃ[मदमानमायालोभविवर्जितभावः तु] મદ (મદન), માન, માયા અને લોભ રહિત ભાવ તે [भावशुद्धिः] ભાવશુદ્ધિ છે [इति] એમ [भव्यानाम्] ભવ્યોને [लोकालोकप्रदर्शिभिः] લોકાલોકના દ્રષ્ટાઓએ [परिकथितः] કહ્યું છે.

ટીકાઃઆ, ભાવશુદ્ધિનામક પરમ-આલોચનાના સ્વરૂપના પ્રતિપાદન દ્વારા શુદ્ધ- નિશ્ચય-આલોચના અધિકારના ઉપસંહારનું કથન છે.