तीव्रचारित्रमोहोदयबलेन पुंवेदाभिधाननोकषायविलासो मदः । अत्र मदशब्देन मदनः कामपरिणाम इत्यर्थः । चतुरसंदर्भगर्भीकृतवैदर्भकवित्वेन आदेयनामकर्मोदये सति सकलजनपूज्यतया, मातृपितृसम्बन्धकुलजातिविशुद्धया वा, शतसहस्रकोटिभटाभिधान- प्रधानब्रह्मचर्यव्रतोपार्जितनिरुपमबलेन च, दानादिशुभकर्मोपार्जितसंपद्वृद्धिविलासेन, अथवा बुद्धितपोवैकुर्वणौषधरसबलाक्षीणर्द्धिभिः सप्तभिर्वा, कमनीयकामिनीलोचनानन्देन वपुर्लावण्यरसविसरेण वा आत्माहंकारो मानः । गुप्तपापतो माया । युक्त स्थले धनव्ययाभावो लोभः; निश्चयेन निखिलपरिग्रहपरित्यागलक्षणनिरंजननिजपरमात्मतत्त्वपरिग्रहात् अन्यत् परमाणुमात्रद्रव्यस्वीकारो लोभः । एभिश्चतुर्भिर्वा भावैः परिमुक्त : शुद्धभाव एव भावशुद्धिरिति भव्यप्राणिनां लोकालोकप्रदर्शिभिः परमवीतरागसुखामृतपानपरितृप्तै- र्भगवद्भिरर्हद्भिरभिहित इति ।
તીવ્ર ચારિત્રમોહના ઉદયને લીધે પુરુષવેદ નામના નોકષાયનો વિલાસ તે મદ છે. અહીં ‘મદ’ શબ્દનો ‘મદન’ એટલે કે કામપરિણામ એવો અર્થ છે. (૧) ચતુર વચનરચનાવાળા *વૈદર્ભકવિત્વને લીધે, આદેયનામકર્મનો ઉદય હોતાં સમસ્ત જનો વડે પૂજનીયપણાથી, (૨) માતા-પિતા સંબંધી કુળ-જાતિની વિશુદ્ધિથી, (૩) પ્રધાન બ્રહ્મચર્યવ્રત વડે ઉપાર્જિત લક્ષકોટિ સુભટ સમાન નિરુપમ બળથી, (૪) દાનાદિ શુભ કર્મ વડે ઉપાર્જિત સંપત્તિની વૃદ્ધિના વિલાસથી, (૫) બુદ્ધિ, તપ, વિક્રિયા, ઔષધ, રસ, બળ અને અક્ષીણ — એ સાત ૠદ્ધિઓથી, અથવા (૬) સુંદર કામિનીઓનાં લોચનને આનંદ પમાડનારા શરીરલાવણ્યરસના વિસ્તારથી થતો જે આત્મ-અહંકાર (આત્માનો અહંકારભાવ) તે માન છે. ગુપ્ત પાપથી માયા હોય છે. યોગ્ય સ્થળે ધનવ્યયનો અભાવ તે લોભ છે; નિશ્ચયથી સમસ્ત પરિગ્રહનો પરિત્યાગ જેનું લક્ષણ (સ્વરૂપ) છે એવા નિરંજન નિજ પરમાત્મતત્ત્વના પરિગ્રહથી અન્ય પરમાણુમાત્ર દ્રવ્યનો સ્વીકાર તે લોભ છે. — આ ચારેય ભાવોથી પરિમુક્ત (રહિત) શુદ્ધભાવ તે જ ભાવશુદ્ધિ છે એમ ભવ્ય જીવોને લોકાલોકદર્શી, પરમવીતરાગ સુખામૃતના પાનથી પરિતૃપ્ત અર્હંતભગવંતોએ કહ્યું છે.
[હવે આ પરમ-આલોચના અધિકારની છેલ્લી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ નવ શ્લોક કહે છેઃ]
૨૨૦ ]
*વૈદર્ભકવિ = એક પ્રકારની સાહિત્યપ્રસિદ્ધ સુંદર કાવ્યરચનામાં કુશળ કવિ