निर्व्याबाधं विशुद्धं स्मरशरगहनानीकदावाग्निरूपम् ।
तद्वन्दे साधुवन्द्यं जननजलनिधौ लंघने यानपात्रम् ।।१७४।।
विदधति परं ब्रूमः किं ते तपस्विन एव हि ।
पदमिदमहो ज्ञात्वा भूयोऽपि यान्ति सरागताम् ।।१७५।।
सततसुलभं भास्वत्सम्यग्द्रशां समतालयम् ।
स्फु टितसहजावस्थं लीनं महिम्नि निजेऽनिशम् ।।१७६।।
[શ્લોકાર્થઃ — ] તત્ત્વમાં મગ્ન એવા જિનમુનિના હૃદયકમળના કેસરમાં જે આનંદ સહિત બિરાજમાન છે, જે બાધા રહિત છે, જે વિશુદ્ધ છે, જે કામદેવના બાણોની ગહન ( – દુર્ભેદ્ય) સેનાને બાળી નાખવા માટે દાવાનળ સમાન છે અને જેણે શુદ્ધજ્ઞાનરૂપ દીપક વડે મુનિઓના મનોગૃહના ઘોર અંધકારનો નાશ કર્યો છે, તેને — સાધુઓ વડે વંદ્ય અને જન્માર્ણવને ઓળંગી જવામાં નૌકારૂપ તે શુદ્ધ તત્ત્વને — હું વંદું છું. ૧૭૪.
[શ્લોકાર્થઃ — ] અમે પૂછીએ છીએ કે — જેઓ સમગ્ર બુદ્ધિવાળા હોવા છતાં બીજાને ‘આ નવું પાપ કર’ એમ ઉપદેશે છે, તેઓ શું ખરેખર તપસ્વી છે? અહો! ખેદ છે કે તેઓ હૃદયમાં વિલસિત શુદ્ધજ્ઞાનરૂપ અને સર્વોત્તમ *પિંડરૂપ આ પદને જાણીને ફરીને પણ સરાગતાને પામે છે! ૧૭૫.
[શ્લોકાર્થઃ — ] તત્ત્વોમાં તે સહજ તત્ત્વ જયવંત છે — કે જે સદા અનાકુળ છે, જે નિરંતર સુલભ છે, જે પ્રકાશવંત છે, જે સમ્યગ્દ્રષ્ટિઓને સમતાનું ઘર છે, જે પરમ કળા
૨૨૨ ]
*પિંડ = (૧) પદાર્થ; (૨) બળ.