Niyamsar (Gujarati). Gatha: 117.

< Previous Page   Next Page >


Page 232 of 380
PDF/HTML Page 261 of 409

 

નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
किं बहुणा भणिएण दु वरतवचरणं महेसिणं सव्वं
पायच्छित्तं जाणह अणेयकम्माण खयहेऊ ।।११७।।
किं बहुना भणितेन तु वरतपश्चरणं महर्षीणां सर्वम्
प्रायश्चित्तं जानीह्यनेककर्मणां क्षयहेतुः ।।११७।।

इह हि परमतपश्चरणनिरतपरमजिनयोगीश्वराणां निश्चयप्रायश्चित्तम् एवं समस्ता- चरणानां परमाचरणमित्युक्त म्

बहुभिरसत्प्रलापैरलमलम् पुनः सर्वं निश्चयव्यवहारात्मकपरमतपश्चरणात्मकं परम- जिनयोगीनामासंसारप्रतिबद्धद्रव्यभावकर्मणां निरवशेषेण विनाशकारणं शुद्धनिश्चयप्रायश्चित्त- मिति हे शिष्य त्वं जानीहि

બહુ કથન શું કરવું? અરે! સૌ જાણ પ્રાયશ્ચિત્ત તું,
નાનાકરમક્ષયહેતુ ઉત્તમ તપચરણ ૠષિરાજનું. ૧૧૭.

અન્વયાર્થઃ[बहुना] બહુ [भणितेन तु] કહેવાથી [किम्] શું? [अनेककर्मणाम्] અનેક કર્મોના [क्षयहेतुः] ક્ષયનો હેતુ એવું જે [महर्षीणाम्] મહર્ષિઓનું [वरतपश्चरणम्] ઉત્તમ તપશ્ચરણ [सर्वम्] તે બધું [प्रायश्चित्तं जानीहि] પ્રાયશ્ચિત્ત જાણ.

ટીકાઃઅહીં એમ કહ્યું છે કે પરમ તપશ્ચરણમાં લીન પરમ જિનયોગીશ્વરોને નિશ્ચયપ્રાયશ્ચિત્ત છે; એ રીતે નિશ્ચયપ્રાયશ્ચિત્ત સમસ્ત આચરણોમાં પરમ આચરણ છે એમ કહ્યું છે.

બહુ અસત્ પ્રલાપોથી બસ થાઓ, બસ થાઓ. નિશ્ચયવ્યવહારસ્વરૂપ પરમ- તપશ્ચરણાત્મક એવું જે પરમ જિનયોગીઓને અનાદિ સંસારથી બંધાયેલાં દ્રવ્યભાવ- કર્મોના નિરવશેષ વિનાશનું કારણ તે બધું શુદ્ધનિશ્ચયપ્રાયશ્ચિત્ત છે એમ, હે શિષ્ય! તું જાણ.

[હવે આ ૧૧૭મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ પાંચ શ્લોક કહે છેઃ]

૨૩૨ ]