सहजशुद्धचिदात्मविदामिदम् ।
सहजतत्त्वमघक्षयकारणम् ।।१८४।।
लीनं स्वस्मिन्निर्विकारे महिम्नि ।।१८५।।
ज्ञानज्योतिर्निहतकरणग्रामघोरान्धकारा ।
प्रध्वंसेऽस्मिन् शमजलमयीमाशु धारां वमन्ती ।।१८६।।
[શ્લોકાર્થઃ — ] અનશનાદિતપશ્ચરણાત્મક (અર્થાત્ સ્વરૂપપ્રતપનરૂપે પરિણમેલું, પ્રતાપવંત એટલે કે ઉગ્ર સ્વરૂપપરિણતિએ પરિણમેલું) એવું આ સહજ-શુદ્ધ-ચૈતન્યસ્વરૂપને જાણનારાઓનું ૧સહજજ્ઞાનકળાપરિગોચર સહજતત્ત્વ ૨અઘક્ષયનું કારણ છે. ૧૮૪.
[શ્લોકાર્થઃ — ] જે (પ્રાયશ્ચિત્ત) આ સ્વદ્રવ્યનું ૩ધર્મ અને શુક્લરૂપ ચિંતન છે, જે કર્મસમૂહના અંધકારને નષ્ટ કરવા માટે સમ્યગ્જ્ઞાનરૂપી તેજ છે અને જે પોતાના નિર્વિકાર મહિમામાં લીન છે — એવું આ પ્રાયશ્ચિત્ત ખરેખર ઉત્તમ પુરુષોને હોય છે. ૧૮૫.
[શ્લોકાર્થઃ — ] યમીઓને ( – સંયમીઓને) આત્મજ્ઞાનથી ક્રમે આત્મલબ્ધિ (આત્માની પ્રાપ્તિ) થાય છે — કે જે આત્મલબ્ધિએ જ્ઞાનજ્યોતિ વડે ઇન્દ્રિયસમૂહના ઘોર અંધકારનો નાશ કર્યો છે અને જે આત્મલબ્ધિ કર્મવનથી ઉત્પન્ન (ભવરૂપી) દાવાનળની શિખાજાળનો
૧. સહજજ્ઞાનકળાપરિગોચર = સહજ જ્ઞાનની કળા વડે સર્વ પ્રકારે જણાવાયોગ્ય
૨. અઘ = અશુદ્ધિ; દોષ; પાપ. (પાપ તેમ જ પુણ્ય બન્ને ખરેખર અઘ છે.)
૩. ધર્મધ્યાન અને શુક્લધ્યાનરૂપ જે સ્વદ્રવ્યચિંતન તે પ્રાયશ્ચિત્ત છે.