Niyamsar (Gujarati). Shlok: 190.

< Previous Page   Next Page >


Page 237 of 380
PDF/HTML Page 266 of 409

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]
શુદ્ધનિશ્ચય-પ્રાયશ્ચિત્ત અધિકાર
[ ૨૩૭

कर्तुमत्यासन्नभव्यजीवः समर्थो यस्मात्, तत एव पापाटवीपावक इत्युक्त म् अतः पंच- महाव्रतपंचसमितित्रिगुप्तिप्रत्याख्यानप्रायश्चित्तालोचनादिकं सर्वं ध्यानमेवेति

(मंदाक्रांता)
यः शुद्धात्मन्यविचलमनाः शुद्धमात्मानमेकं
नित्यज्योतिःप्रतिहततमःपुंजमाद्यन्तशून्यम्
ध्यात्वाजस्रं परमकलया सार्धमानन्दमूर्तिं
जीवन्मुक्तो भवति तरसा सोऽयमाचारराशिः
।।9।।

જીવને પાપાટવીપાવક (પાપરૂપી અટવીને બાળનારો અગ્નિ) કહ્યો છે; આમ હોવાથી પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, પ્રત્યાખ્યાન, પ્રાયશ્ચિત્ત, આલોચના વગેરે બધું ધ્યાન જ છે (અર્થાત્ પરમપારિણામિક ભાવની ભાવનારૂપ જે ધ્યાન તે જ મહાવ્રત- પ્રાયશ્ચિત્તાદિ બધુંય છે).

[હવે આ ૧૧૯મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ]

[શ્લોકાર્થઃ] જેણે નિત્ય જ્યોતિ વડે તિમિરપુંજનો નાશ કર્યો છે, જે આદિ- અંત રહિત છે, જે પરમ કળા સહિત છે અને જે આનંદમૂર્તિ છેએવા એક શુદ્ધ આત્માને જે જીવ શુદ્ધ આત્મામાં અવિચળ મનવાળો થઈને નિરંતર ધ્યાવે છે, તે આ

આચારરાશિ જીવ શીઘ્ર જીવન્મુક્ત થાય છે. ૧૯૦. બેસી ગયેલ હોય એવા જળ સમાન ઔપશમિક સમ્યક્ત્વાદિનું), ક્ષાયોપશમિકભાવોનું (અપૂર્ણ
જ્ઞાન-દર્શન-ચારિત્રાદિ પર્યાયોનું) તેમ જ ક્ષાયિકભાવોનું (ક્ષાયિક સમ્યક્ત્વાદિ સર્વથા શુદ્ધ
પર્યાયોનું
) પણ આલંબન છોડવું; માત્ર પરમપારિણામિકભાવનુંશુદ્ધાત્મદ્રવ્યસામાન્યનુંઆલંબન લેવું. તેને આલંબનારો ભાવ જ મહાવ્રત, સમિતિ, ગુપ્તિ, પ્રતિક્રમણ, આલોચના, પ્રત્યાખ્યાન,
પ્રાયશ્ચિત્ત વગેરે બધુંય છે. (આત્મસ્વરૂપનું આલંબન, આત્મસ્વરૂપનો આશ્રય, આત્મસ્વરૂપ પ્રત્યે
સંમુખતા, આત્મસ્વરૂપ પ્રત્યે વલણ, આત્મસ્વરૂપ પ્રત્યે ઝોક, આત્મસ્વરૂપનું ધ્યાન, પરમ-
પારિણામિકભાવની ભાવના, ‘હું ધ્રુવ શુદ્ધ આત્મદ્રવ્યસામાન્ય છું’ એવી પરિણતિ
એ બધાંનો એક અર્થ છે.)

૧.મન = ભાવ

૨.આચારરાશિ = ચારિત્રપુંજ; ચારિત્રસમૂહરૂપ.