निश्चयकायोत्सर्गस्वरूपाख्यानमेतत् ।
सादिसनिधनमूर्तविजातीयविभावव्यंजनपर्यायात्मकः स्वस्याकारः कायः । आदि-
शब्देन क्षेत्रवास्तुकनकरमणीप्रभृतयः । एतेषु सर्वेषु स्थिरभावं सनातनभावं परिहृत्य
नित्यरमणीयनिरंजननिजकारणपरमात्मानं व्यवहारक्रियाकांडाडम्बरविविधविकल्पकोलाहल- विनिर्मुक्त सहजपरमयोगबलेन नित्यं ध्यायति यः सहजतपश्चरणक्षीरवारांराशिनिशीथिनी- हृदयाधीश्वरः, तस्य खलु सहजवैराग्यप्रासादशिखरशिखामणेर्निश्चयकायोत्सर्गो भवतीति ।
યોગનિષ્ઠ યોગીને ક્યારેક વિકલ્પો ઊઠે છે), તેની અર્હત્ના મતમાં મુક્તિ થશે કે નહિ થાય તે કોણ જાણે છે? ૧૯૪.
અન્વયાર્થઃ — [कायादिपरद्रव्ये] કાયાદિ પરદ્રવ્યમાં [स्थिरभावम् परिहृत्य] સ્થિરભાવ છોડીને [यः] જે [आत्मानम्] આત્માને [निर्विकल्पेन] નિર્વિકલ્પપણે [ध्यायति] ધ્યાવે છે, [तस्य] તેને [तनूत्सर्गः] કાયોત્સર્ગ [भवेत्] છે.
ટીકાઃ — આ, નિશ્ચયકાયોત્સર્ગના સ્વરૂપનું કથન છે.
સાદિ-સાંત મૂર્ત વિજાતીય-વિભાવ-વ્યંજનપર્યાયાત્મક પોતાનો આકાર તે કાય. ‘આદિ’ શબ્દથી ક્ષેત્ર, ઘર, કનક, રમણી વગેરે. આ બધામાં સ્થિરભાવ — સનાતનભાવ પરિહરીને ( – કાયાદિક સ્થિર છે એવો ભાવ છોડીને) નિત્ય-રમણીય નિરંજન નિજ કારણ- પરમાત્માને વ્યવહાર ક્રિયાકાંડના આડંબર સંબંધી વિવિધ વિકલ્પરૂપ કોલાહલ વિનાના સહજ- પરમ-યોગના બળથી જે સહજ-તપશ્ચરણરૂપી ક્ષીરસાગરનો ચંદ્ર ( – સહજ તપરૂપી ક્ષીરસાગરને ઉછાળવામાં ચંદ્ર સમાન એવો જે જીવ) નિત્ય ધ્યાવે છે, તે સહજ વૈરાગ્યરૂપી મહેલના શિખરના શિખામણિને ( – તે પરમ સહજ-વૈરાગ્યવંત જીવને) ખરેખર નિશ્ચયકાયોત્સર્ગ છે.
૨૪૦ ]