कायोद्भूतप्रबलतरसत्कर्ममुक्ते : सकाशात् ।
स्वात्मध्यानादपि च नियतं स्वात्मनिष्ठापराणाम् ।।१9५।।
तदखिलमपि नित्यं संत्यजाम्यात्मशक्त्या ।
स्फु टितनिजविलासं सर्वदा चेतयेहम् ।।१9७।।
[હવે આ શુદ્ધનિશ્ચય-પ્રાયશ્ચિત્ત અધિકારની છેલ્લી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ પાંચ શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ — ] જે નિરંતર સ્વાત્મનિષ્ઠાપરાયણ ( – નિજ આત્મામાં લીન) છે તે સંયમીઓને, કાયાથી ઉત્પન્ન થતાં અતિ પ્રબળ સત્-કર્મોના ( – કાયા સંબંધી પ્રબળ શુભ ક્રિયાઓના) ત્યાગને લીધે, વાણીના જલ્પસમૂહની વિરતિને લીધે અને માનસિક ભાવોની (વિકલ્પોની) નિવૃત્તિને લીધે, તેમ જ નિજ આત્માના ધ્યાનને લીધે, નિશ્ચયથી સતત કાયોત્સર્ગ છે. ૧૯૫.
[શ્લોકાર્થઃ — ] સહજ તેજઃપુંજમાં નિમગ્ન એવું તે પ્રકાશમાન સહજ પરમ તત્ત્વ જયવંત છે — કે જેણે મોહાંધકારને દૂર કર્યો છે (અર્થાત્ જે મોહાંધકાર રહિત છે), જે સહજ પરમ દ્રષ્ટિથી પરિપૂર્ણ છે અને જે વૃથા-ઉત્પન્ન ભવભવના પરિતાપોથી તથા કલ્પનાઓથી મુક્ત છે. ૧૯૬.
[શ્લોકાર્થઃ — ] અલ્પ (-તુચ્છ) અને કલ્પનામાત્રરમ્ય ( – માત્ર કલ્પનાથી જ રમણીય