Niyamsar (Gujarati). Shlok: 200.

< Previous Page   Next Page >


Page 244 of 380
PDF/HTML Page 273 of 409

 

નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
एव वचनरचनां परित्यज्य सकलकर्मकलंकपंकविनिर्मुक्त प्रध्वस्तभावकर्मात्मक-
परमवीतरागभावेन त्रिकालनिरावरणनित्यशुद्धकारणपरमात्मानं स्वात्माश्रयनिश्चयधर्म-
ध्यानेन टंकोत्कीर्णज्ञायकैकस्वरूपनिरतपरमशुक्लध्यानेन च यः परमवीतरागतपश्चरणनिरतः
निरुपरागसंयतः ध्यायति, तस्य खलु द्रव्यभावकर्मवरूथिनीलुंटाकस्य परमसमाधि-
र्भवतीति
(वंशस्थ)
समाधिना केनचिदुत्तमात्मनां
हृदि स्फु रन्तीं समतानुयायिनीम्
यावन्न विद्मः सहजात्मसंपदं
न मा
द्रशां या विषया विदामहि ।।२००।।

વ્યાપાર કરવાયોગ્ય નથી. આમ હોવાથી જ, વચનરચના પરિત્યાગીને જે સમસ્ત કર્મકલંકરૂપ કાદવથી વિમુક્ત છે અને જેમાંથી ભાવકર્મ નષ્ટ થયેલાં છે એવા ભાવેપરમ વીતરાગ ભાવેત્રિકાળ-નિરાવરણ નિત્ય-શુદ્ધ કારણપરમાત્માને સ્વાત્માશ્રિત નિશ્ચયધર્મ- ધ્યાનથી અને ટંકોત્કીર્ણ જ્ઞાયક એક સ્વરૂપમાં લીન પરમશુક્લધ્યાનથી જે પરમવીતરાગ તપશ્ચરણમાં લીન, નિરુપરાગ (નિર્વિકાર) સંયમી ધ્યાવે છે, તે દ્રવ્યકર્મ-ભાવકર્મની સેનાને લૂટનાર સંયમીને ખરેખર પરમ સમાધિ છે.

[હવે આ ૧૨૨મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છેઃ]

[શ્લોકાર્થ] કોઈ એવી (અવર્ણનીય, પરમ) સમાધિ વડે ઉત્તમ આત્માઓના હૃદયમાં સ્ફુરતી, સમતાની અનુયાયિની સહજ આત્મસંપદાને જ્યાં સુધી અમે અનુભવતા નથી, ત્યાં સુધી અમારા જેવાઓનો જે વિષય છે તેને અમે અનુભવતા નથી. ૨૦૦.

૨૪૪ ]

૧. અનુયાયિની=અનુગામિની; સાથે સાથે રહેનારી; પાછળ પાછળ આવનારી. (સહજ આત્મસંપદા સમાધિની અનુયાયિની છે.)

૨. સહજ આત્મસંપદા મુનિઓનો વિષય છે.