परमवीतरागभावेन त्रिकालनिरावरणनित्यशुद्धकारणपरमात्मानं स्वात्माश्रयनिश्चयधर्म-
ध्यानेन टंकोत्कीर्णज्ञायकैकस्वरूपनिरतपरमशुक्लध्यानेन च यः परमवीतरागतपश्चरणनिरतः
निरुपरागसंयतः ध्यायति, तस्य खलु द्रव्यभावकर्मवरूथिनीलुंटाकस्य परमसमाधि-
र्भवतीति
हृदि स्फु रन्तीं समतानुयायिनीम् ।
न माद्रशां या विषया विदामहि ।।२००।।
વ્યાપાર કરવાયોગ્ય નથી. આમ હોવાથી જ, વચનરચના પરિત્યાગીને જે સમસ્ત કર્મકલંકરૂપ કાદવથી વિમુક્ત છે અને જેમાંથી ભાવકર્મ નષ્ટ થયેલાં છે એવા ભાવે — પરમ વીતરાગ ભાવે — ત્રિકાળ-નિરાવરણ નિત્ય-શુદ્ધ કારણપરમાત્માને સ્વાત્માશ્રિત નિશ્ચયધર્મ- ધ્યાનથી અને ટંકોત્કીર્ણ જ્ઞાયક એક સ્વરૂપમાં લીન પરમશુક્લધ્યાનથી જે પરમવીતરાગ તપશ્ચરણમાં લીન, નિરુપરાગ (નિર્વિકાર) સંયમી ધ્યાવે છે, તે દ્રવ્યકર્મ-ભાવકર્મની સેનાને લૂટનાર સંયમીને ખરેખર પરમ સમાધિ છે.
[હવે આ ૧૨૨મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ — ] કોઈ એવી ( – અવર્ણનીય, પરમ) સમાધિ વડે ઉત્તમ આત્માઓના હૃદયમાં સ્ફુરતી, સમતાની ૧અનુયાયિની સહજ આત્મસંપદાને જ્યાં સુધી અમે અનુભવતા નથી, ત્યાં સુધી અમારા જેવાઓનો જે ૨વિષય છે તેને અમે અનુભવતા નથી. ૨૦૦.
૨૪૪ ]
૧. અનુયાયિની=અનુગામિની; સાથે સાથે રહેનારી; પાછળ પાછળ આવનારી. (સહજ આત્મસંપદા સમાધિની અનુયાયિની છે.)
૨. સહજ આત્મસંપદા મુનિઓનો વિષય છે.