परमसमाधिर्भवतीति ।
अत्र समतामन्तरेण द्रव्यलिङ्गधारिणः श्रमणाभासिनः किमपि परलोककारणं नास्ती- त्युक्त म् । અવિચળ સ્થિતિરૂપ ( – એવું જે ધ્યાન) તે નિશ્ચયશુક્લધ્યાન છે. આ સામગ્રીવિશેષો સહિત ( – આ ઉપર્યુક્ત ખાસ આંતરિક સાધનસામગ્રી સહિત) અખંડ અદ્વૈત પરમ ચૈતન્યમય આત્માને જે પરમ સંયમી નિત્ય ધ્યાવે છે, તેને ખરેખર પરમ સમાધિ છે.
[હવે આ ૧૨૩મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ — ] જે સદા ચૈતન્યમય નિર્વિકલ્પ સમાધિમાં રહે છે, તે દ્વૈતાદ્વૈતવિમુક્ત (દ્વૈત-અદ્વૈતના વિકલ્પોથી મુક્ત) આત્માને હું નમું છું. ૨૦૧.
અન્વયાર્થઃ — [वनवासः] વનવાસ, [कायक्लेशः विचित्रोपवासः] કાયક્લેશરૂપ અનેક પ્રકારના ઉપવાસ, [अध्ययनमौनप्रभृतयः] અધ્યયન, મૌન વગેરે (કાર્યો) [समतारहितस्य श्रमणस्य] સમતારહિત શ્રમણને [किं करिष्यति] શું કરે છે ( – શો લાભ કરે છે)?
ટીકાઃ — અહીં (આ ગાથામાં), સમતા વિના દ્રવ્યલિંગધારી શ્રમણાભાસને કિંચિત્ પરલોકનું કારણ નથી (અર્થાત્ જરાય મોક્ષનું સાધન નથી) એમ કહ્યું છે.
૨૪૬ ]