Niyamsar (Gujarati). Gatha: 127.

< Previous Page   Next Page >


Page 253 of 380
PDF/HTML Page 282 of 409

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]
પરમ-સમાધિ અધિકાર
[ ૨૫૩
जस्स संणिहिदो अप्पा संजमे णियमे तवे
तस्स सामाइगं ठाइ इदि केवलिसासणे ।।१२७।।
यस्य सन्निहितः आत्मा संयमे नियमे तपसि
तस्य सामायिकं स्थायि इति केवलिशासने ।।१२७।।

अत्राप्यात्मैवोपादेय इत्युक्त :

यस्य खलु बाह्यप्रपंचपराङ्मुखस्य निर्जिताखिलेन्द्रियव्यापारस्य भाविजिनस्य पाप- क्रियानिवृत्तिरूपे बाह्यसंयमे कायवाङ्मनोगुप्तिरूपसकलेन्द्रियव्यापारवर्जितेऽभ्यन्तरात्मनि परिमितकालाचरणमात्रे नियमे परमब्रह्मचिन्मयनियतनिश्चयान्तर्गताचारे स्वरूपेऽविचलस्थितिरूपे व्यवहारप्रपंचितपंचाचारे पंचमगतिहेतुभूते किंचनभावप्रपंचपरिहीणे सकलदुराचारनिवृत्तिकारणे परमतपश्चरणे च परमगुरुप्रसादासादितनिरंजननिजकारणपरमात्मा सदा सन्निहित इति

સંયમ, નિયમ ને તપ વિષે આત્મા સમીપ છે જેહને,
સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળીશાસને. ૧૨૭.

અન્વયાર્થ[यस्य] જેને [संयमे] સંયમમાં, [नियमे] નિયમમાં અને [तपसि] તપમાં [आत्मा] આત્મા [सन्निहितः] સમીપ છે, [तस्य] તેને [सामायिकं] સામાયિક [स्थायि] સ્થાયી છે [इति केवलिशासने] એમ કેવળીના શાસનમાં કહ્યું છે.

ટીકાઅહીં (આ ગાથામાં) પણ આત્મા જ ઉપાદેય છે એમ કહ્યું છે.

બાહ્ય પ્રપંચથી પરાઙ્મુખ અને સમસ્ત ઇન્દ્રિયવ્યાપારને જીતેલા એવા જે ભાવી જિનને પાપક્રિયાની નિવૃત્તિરૂપ બાહ્યસંયમમાં, કાય-વચન-મનોગુપ્તિરૂપ, સમસ્ત ઇન્દ્રિયવ્યાપાર રહિત અભ્યંતરસંયમમાં, માત્ર પરિમિત (મર્યાદિત) કાળના આચરણસ્વરૂપ નિયમમાં, નિજસ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ, ચિન્મય-પરમબ્રહ્મમાં નિયત (નિશ્ચળ રહેલા) એવા નિશ્ચયઅંતર્ગત- આચારમાં (અર્થાત્ નિશ્ચય-અભ્યંતર નિયમમાં), વ્યવહારથી *પ્રપંચિત (જ્ઞાન-દર્શન-ચારિત્ર- તપ-વીર્યાચારરૂપ) પંચાચારમાં (અર્થાત્ વ્યવહારતપશ્ચરણમાં), તથા પંચમગતિના હેતુભૂત, કાંઈ પણ પરિગ્રહપ્રપંચથી સર્વથા રહિત, સકળ દુરાચારની નિવૃત્તિના કારણભૂત એવા પરમ તપશ્ચરણમાં (આ બધામાં) પરમ ગુરુના પ્રસાદથી પ્રાપ્ત કરાયેલો નિરંજન નિજ

*પ્રપંચિત = દર્શાવવામાં આવેલા; વિસ્તાર પામેલા.