Niyamsar (Gujarati). Gatha: 129 Shlok: 214.

< Previous Page   Next Page >


Page 256 of 380
PDF/HTML Page 285 of 409

 

નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
जो दु अट्टं च रुद्दं च झाणं वज्जेदि णिच्चसो
तस्स सामाइगं ठाइ इदि केवलिसासणे ।।१२9।।
यस्त्वार्त्तं च रौद्रं च ध्यानं वर्जयति नित्यशः
तस्य सामायिकं स्थायि इति केवलिशासने ।।१२9।।

आर्तरौद्रध्यानपरित्यागात् सनातनसामायिकव्रतस्वरूपाख्यानमेतत

यस्तु नित्यनिरंजननिजकारणसमयसारस्वरूपनियतशुद्धनिश्चयपरमवीतरागसुखामृत- पानपरायणो जीवः तिर्यग्योनिप्रेतावासनारकादिगतिप्रायोग्यतानिमित्तम् आर्तरौद्रध्यानद्वयं नित्यशः संत्यजति, तस्य खलु केवलदर्शनसिद्धं शाश्वतं सामायिकव्रतं भवतीति

(आर्या)
इति जिनशासनसिद्धं सामायिकव्रतमणुव्रतं भवति
यस्त्यजति मुनिर्नित्यं ध्यानद्वयमार्तरौद्राख्यम् ।।२१४।।
જે નિત્ય વર્જે આર્ત તેમ જ રૌદ્ર બન્ને ધ્યાનને,
સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળીશાસને. ૧૨૯.

અન્વયાર્થ[यः तु] જે [आर्त्तं] આર્ત [च] અને [रौद्रं च] રૌદ્ર [ध्यानं] ધ્યાનને [नित्यशः] નિત્ય [वर्जयति] વર્જે છે, [तस्य] તેને [सामायिकं] સામાયિક [स्थायि] સ્થાયી છે [इति केवलिशासने] એમ કેવળીના શાસનમાં કહ્યું છે.

ટીકાઆ, આર્ત અને રૌદ્ર ધ્યાનના પરિત્યાગ દ્વારા સનાતન (શાશ્વત) સામાયિકવ્રતના સ્વરૂપનું કથન છે.

નિત્ય-નિરંજન નિજ કારણસમયસારના સ્વરૂપમાં નિયત (નિયમથી રહેલા) શુદ્ધ- નિશ્ચય-પરમ-વીતરાગ-સુખામૃતના પાનમાં પરાયણ એવો જે જીવ તિર્યંચયોનિ, પ્રેતવાસ અને નારકાદિગતિની યોગ્યતાના હેતુભૂત આર્ત અને રૌદ્ર બે ધ્યાનોને નિત્ય તજે છે, તેને ખરેખર કેવળદર્શનસિદ્ધ (કેવળદર્શનથી નક્કી થયેલું) શાશ્વત સામાયિકવ્રત છે.

[હવે આ ૧૨૯મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે]

[શ્લોકાર્થ] એ રીતે, જે મુનિ આર્ત અને રૌદ્ર નામનાં બે ધ્યાનોને નિત્ય તજે છે તેને જિનશાસનસિદ્ધ (જિનશાસનથી નક્કી થયેલું) અણુવ્રતરૂપ સામાયિકવ્રત છે. ૨૧૪.

૨૫૬ ]