आर्तरौद्रध्यानपरित्यागात् सनातनसामायिकव्रतस्वरूपाख्यानमेतत् ।
यस्तु नित्यनिरंजननिजकारणसमयसारस्वरूपनियतशुद्धनिश्चयपरमवीतरागसुखामृत- पानपरायणो जीवः तिर्यग्योनिप्रेतावासनारकादिगतिप्रायोग्यतानिमित्तम् आर्तरौद्रध्यानद्वयं नित्यशः संत्यजति, तस्य खलु केवलदर्शनसिद्धं शाश्वतं सामायिकव्रतं भवतीति ।
અન્વયાર્થઃ — [यः तु] જે [आर्त्तं] આર્ત [च] અને [रौद्रं च] રૌદ્ર [ध्यानं] ધ્યાનને [नित्यशः] નિત્ય [वर्जयति] વર્જે છે, [तस्य] તેને [सामायिकं] સામાયિક [स्थायि] સ્થાયી છે [इति केवलिशासने] એમ કેવળીના શાસનમાં કહ્યું છે.
ટીકાઃ — આ, આર્ત અને રૌદ્ર ધ્યાનના પરિત્યાગ દ્વારા સનાતન (શાશ્વત) સામાયિકવ્રતના સ્વરૂપનું કથન છે.
નિત્ય-નિરંજન નિજ કારણસમયસારના સ્વરૂપમાં નિયત ( – નિયમથી રહેલા) શુદ્ધ- નિશ્ચય-પરમ-વીતરાગ-સુખામૃતના પાનમાં પરાયણ એવો જે જીવ તિર્યંચયોનિ, પ્રેતવાસ અને નારકાદિગતિની યોગ્યતાના હેતુભૂત આર્ત અને રૌદ્ર બે ધ્યાનોને નિત્ય તજે છે, તેને ખરેખર કેવળદર્શનસિદ્ધ ( – કેવળદર્શનથી નક્કી થયેલું) શાશ્વત સામાયિકવ્રત છે.
[હવે આ ૧૨૯મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ — ] એ રીતે, જે મુનિ આર્ત અને રૌદ્ર નામનાં બે ધ્યાનોને નિત્ય તજે છે તેને જિનશાસનસિદ્ધ ( – જિનશાસનથી નક્કી થયેલું) અણુવ્રતરૂપ સામાયિકવ્રત છે. ૨૧૪.
૨૫૬ ]