नित्यानंदं व्रजति सहजं शुद्धचैतन्यरूपम् ।
महामोहध्वान्तप्रबलतरतेजोमयमिदम् ।
यजाम्येतन्नित्यं भवपरिभवध्वंसनिपुणम् ।।२१६।।
तदेकं संत्यक्त्वा पुनरपि स सिद्धो न चलति ।।२१७।।
[હવે આ ૧૩૦મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ ત્રણ શ્લોક કહે છેઃ] [શ્લોકાર્થઃ — ] સમ્યગ્દ્રષ્ટિ જીવ સંસારના મૂળભૂત સર્વ પુણ્યપાપને તજીને, નિત્યાનંદમય, સહજ, શુદ્ધચૈતન્યરૂપ જીવાસ્તિકાયને પ્રાપ્ત કરે છે; તે શુદ્ધ જીવાસ્તિકાયમાં તે સદા વિહરે છે અને પછી ત્રિભુવનજનોથી (ત્રણ લોકના જીવોથી) અત્યંત પૂજાતો એવો જિન થાય છે. ૨૧૫.
[શ્લોકાર્થઃ — ] આ સ્વતઃસિદ્ધ જ્ઞાન પાપપુણ્યરૂપી વનને બાળનારો અગ્નિ છે, મહા- મોહાંધકારનાશક અતિપ્રબળ તેજમય છે, વિમુક્તિનું મૂળ છે અને *નિરુપધિ મહા આનંદસુખનું દાયક છે. ભવભવનો ધ્વંસ કરવામાં નિપુણ એવા આ જ્ઞાનને હું નિત્ય પૂજું છું. ૨૧૬.
[શ્લોકાર્થઃ — ] આ જીવ અઘસમૂહના વશે સંસૃતિવધૂનું પતિપણું પામીને (અર્થાત્ શુભાશુભ કર્મોના વશે સંસારરૂપી સ્ત્રીનો પતિ બનીને) કામજનિત સુખ માટે આકુળ મતિવાળો
૨૫૮ ]
*નિરુપધિ = છેતરપિંડી વિનાના; સાચા; વાસ્તવિક.