योग्याः सदा शिवमयाः प्रवराः प्रसिद्धाः ।
पंकेरुहोरुमकरंदमधुव्रताः स्युः ।।२२६।।
જ્ઞેયરૂપી મહાસાગરના પારને પામ્યા છે, જેઓ મુક્તિલક્ષ્મીરૂપી સ્ત્રીના મુખકમળના સૂર્ય છે, જેઓ સ્વાધીન સુખના સાગર છે, જેમણે અષ્ટ ગુણોને સિદ્ધ (પ્રાપ્ત) કર્યા છે, જેઓ ભવનો નાશ કરનારા છે અને જેમણે આઠ કર્મોના સમૂહને નષ્ટ કરેલ છે, તે પાપાટવીપાવક ( – પાપરૂપી અટવીને બાળવામાં અગ્નિ સમાન) નિત્ય (અવિનાશી) સિદ્ધભગવંતોનું હું નિરંતર શરણ ગ્રહું છું. ૨૨૫.
[શ્લોકાર્થઃ — ] જેઓ મનુષ્યોના તથા દેવોના સમૂહની પરોક્ષ ભક્તિને યોગ્ય છે, જેઓ સદા શિવમય છે, જેઓ શ્રેષ્ઠ છે અને જેઓ પ્રસિદ્ધ છે, તે સિદ્ધભગવંતો સુસિદ્ધિરૂપી રમણીના રમણીય મુખકમળના મહા ૧મકરંદના ભ્રમર છે (અર્થાત્ અનુપમ મુક્તિસુખને નિરંતર અનુભવે છે). ૨૨૬.
અન્વયાર્થઃ — [मोक्षपथे] મોક્ષમાર્ગમાં [आत्मानं] (પોતાના) આત્માને [संस्थाप्य च] સમ્યક્ પ્રકારે સ્થાપીને [निर्वृतेः] નિર્વૃતિની (નિર્વાણની) [भक्ति म्] ભક્તિ [करोति] કરે છે, [तेन तु] તેથી [जीवः] જીવ [असहायगुणं] ૨અસહાયગુણવાળા [निजात्मानम्] નિજ આત્માને [प्राप्नोति] પ્રાપ્ત કરે છે.
૧. મકરંદ = ફૂલનું મધ; ફૂલનો રસ.
૨. અસહાયગુણવાળો = જેને કોઈની સહાય નથી એવા ગુણવાળો. [આત્મા સ્વતઃસિદ્ધ સહજ સ્વતંત્ર
ગુણવાળો હોવાથી અસહાયગુણવાળો છે.]