Niyamsar (Gujarati).

< Previous Page   Next Page >


Page 272 of 380
PDF/HTML Page 301 of 409

 

નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
विपरीताभिनिवेशं परित्यज्य जैनकथिततत्त्वेषु
यो युनक्ति आत्मानं निजभावः स भवेद्योगः ।।१३9।।

इह हि निखिलगुणधरगणधरदेवप्रभृतिजिनमुनिनाथकथिततत्त्वेषु विपरीताभिनिवेश- विवर्जितात्मभाव एव निश्चयपरमयोग इत्युक्त :

अपरसमयतीर्थनाथाभिहिते विपरीते पदार्थे ह्यभिनिवेशो दुराग्रह एव विपरीताभि- निवेशः अमुं परित्यज्य जैनकथिततत्त्वानि निश्चयव्यवहारनयाभ्यां बोद्धव्यानि सकलजिनस्य भगवतस्तीर्थाधिनाथस्य पादपद्मोपजीविनो जैनाः, परमार्थतो गणधरदेवादय इत्यर्थः तैरभिहितानि निखिलजीवादितत्त्वानि तेषु यः परमजिनयोगीश्वरः स्वात्मानं युनक्ति , तस्य च निजभाव एव परमयोग इति

અન્વયાર્થ[विपरीताभिनिवेशं परित्यज्य] વિપરીત અભિનિવેશનો પરિત્યાગ કરીને [यः] જે [जैनकथिततत्त्वेषु] જૈનકથિત તત્ત્વોમાં [आत्मानं] આત્માને [युनक्ति ] જોડે છે, [निजभावः] તેનો નિજ ભાવ [सः योगः भवेत्] તે યોગ છે.

ટીકાઅહીં, સમસ્ત ગુણોના ધરનારા ગણધરદેવ વગેરે જિનમુનિનાથોએ કહેલાં તત્ત્વોમાં વિપરીત અભિનિવેશ રહિત આત્મભાવ તે જ નિશ્ચય-પરમયોગ છે એમ કહ્યું છે.

અન્ય સમયના તીર્થનાથે કહેલા (જૈન દર્શન સિવાય અન્ય દર્શનના તીર્થપ્રવર્તકે કહેલા) વિપરીત પદાર્થમાં અભિનિવેશદુરાગ્રહ તે જ વિપરીત અભિનિવેશ છે. તેનો પરિત્યાગ કરીને જૈનોએ કહેલાં તત્ત્વો નિશ્ચયવ્યવહારનયથી જાણવાયોગ્ય છે. સકલજિન એવા ભગવાન તીર્થાધિનાથનાં ચરણકમળના ઉપજીવકો તે જૈનો છે; પરમાર્થે ગણધરદેવ વગેરે એવો તેનો અર્થ છે. તેમણે (ગણધરદેવ વગેરે જૈનોએ) કહેલાં જે સમસ્ત જીવાદિ તત્ત્વો તેમાં જે પરમ જિનયોગીશ્વર નિજ આત્માને જોડે છે, તેનો નિજભાવ જ પરમ યોગ છે.

[હવે આ ૧૩૯મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ]

૨૭૨ ]

દેહ સહિત હોવા છતાં તીર્થંકરદેવે રાગદ્વેષ અને અજ્ઞાનને સંપૂર્ણ રીતે જીત્યા છે તેથી તેઓ
સકલજિન છે.

ઉપજીવક = સેવા કરનાર; સેવક; આશ્રિત; દાસ.