Niyamsar (Gujarati).

< Previous Page   Next Page >


Page 278 of 380
PDF/HTML Page 307 of 409

 

નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

यः खलु यथाविधि परमजिनमार्गाचरणकुशलः सर्वदैवान्तर्मुखत्वादनन्यवशो भवति किन्तु साक्षात्स्ववश इत्यर्थः तस्य किल व्यावहारिकक्रियाप्रपंचपराङ्मुखस्य स्वात्माश्रय- निश्चयधर्मध्यानप्रधानपरमावश्यककर्मास्तीत्यनवरतं परमतपश्चरणनिरतपरमजिनयोगीश्वरा वदन्ति किं च यस्त्रिगुप्तिगुप्तपरमसमाधिलक्षणपरमयोगः सकलकर्मविनाशहेतुः स एव साक्षान्मोक्षकारणत्वान्निर्वृतिमार्ग इति निरुक्ति र्व्युत्पत्तिरिति

तथा चोक्तं श्रीमदमृतचन्द्रसूरिभिः

(मंदाक्रांता)
‘‘आत्मा धर्मः स्वयमिति भवन् प्राप्य शुद्धोपयोगं
नित्यानन्दप्रसरसरसे ज्ञानतत्त्वे निलीय
प्राप्स्यत्युच्चैरविचलतया निःप्रकम्पप्रकाशां
स्फू र्जज्ज्योतिःसहजविलसद्रत्नदीपस्य लक्ष्मीम्
।।’’

વિધિ અનુસાર પરમજિનમાર્ગના આચરણમાં કુશળ એવો જે જીવ સદાય અંતર્મુખપણાને લીધે અન્યવશ નથી પરંતુ સાક્ષાત્ સ્વવશ છે એવો અર્થ છે, તે વ્યાવહારિક ક્રિયાપ્રપંચથી પરાઙ્મુખ જીવને સ્વાત્માશ્રિત-નિશ્ચયધર્મધ્યાનપ્રધાન પરમ આવશ્યક કર્મ છે એમ નિરંતર પરમતપશ્ચરણમાં લીન પરમજિનયોગીશ્વરો કહે છે. વળી, સકળ કર્મના વિનાશનો હેતુ એવો જે ત્રિગુપ્તિગુપ્ત-પરમસમાધિલક્ષણ પરમ યોગ તે જ સાક્ષાત્ મોક્ષનું કારણ હોવાને લીધે નિર્વાણનો માર્ગ છે. આમ નિરુક્તિ અર્થાત્ વ્યુત્પત્તિ છે.

એવી રીતે (આચાર્યદેવ) શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિએ (શ્રી પ્રવચનસારની તત્ત્વદીપિકા નામની ટીકામાં પાંચમા શ્લોક દ્વારા) કહ્યું છે કે

‘‘[શ્લોકાર્થ] એ રીતે શુદ્ધોપયોગને પ્રાપ્ત કરીને આત્મા સ્વયં ધર્મ થતો અર્થાત્ પોતે ધર્મપણે પરિણમતો થકો નિત્ય આનંદના ફેલાવથી સરસ (અર્થાત્ જે શાશ્વત આનંદના ફેલાવથી રસયુક્ત છે) એવા જ્ઞાનતત્ત્વમાં લીન થઈને, અત્યંત અવિચળપણાને લીધે, દેદીપ્યમાન જ્યોતિવાળા અને સહજપણે વિલસતા (સ્વભાવથી જ પ્રકાશતા)

૨૭૮ ]

૧. ‘અન્યવશ નથી’ એ કથનનો ‘સાક્ષાત્ સ્વવશ છે’ એવો અર્થ છે.

૨. નિજ આત્મા જેનો આશ્રય છે એવું નિશ્ચયધર્મધ્યાન પરમ આવશ્યક કર્મમાં પ્રધાન છે.
૩. પરમ યોગનું લક્ષણ ત્રણ ગુપ્તિ વડે ગુપ્ત (
અંતર્મુખ) એવી પરમ સમાધિ છે. [પરમ આવશ્યક કર્મ તે જ પરમ યોગ છે અને પરમ યોગ તે નિર્વાણનો માર્ગ છે.]