धर्मः साक्षात् स्ववशजनितावश्यकर्मात्मकोऽयम् ।
तेनैवाहं किमपि तरसा यामि शं निर्विकल्पम् ।।२३८।।
રત્નદીપકની નિષ્કંપ-પ્રકાશવાળી શોભાને પામે છે (અર્થાત્ રત્નદીપકની માફક સ્વભાવથી જ નિષ્કંપપણે અત્યંત પ્રકાશ્યા — જાણ્યા કરે છે).’’
વળી (આ ૧૪૧મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છે)ઃ —
[શ્લોકાર્થઃ — ] સ્વવશતાથી ઉત્પન્ન આવશ્યક-કર્મસ્વરૂપ આ સાક્ષાત્ ધર્મ નિયમથી (ચોક્કસ) સચ્ચિદાનંદમૂર્તિ આત્મામાં (સત્-ચિદ્-આનંદસ્વરૂપ આત્મામાં) અતિશયપણે હોય છે. તે આ (આત્મસ્થિત ધર્મ), કર્મક્ષય કરવામાં કુશળ એવો નિર્વાણનો એક માર્ગ છે. તેનાથી જ હું શીઘ્ર કોઈ ( – અદ્ભુત) નિર્વિકલ્પ સુખને પ્રાપ્ત કરું છું. ૨૩૮.
અન્વયાર્થઃ — [न वशः अवशः] જે (અન્યને) વશ નથી તે ‘અવશ’ છે [वा] અને [अवशस्य कर्म] અવશનું કર્મ તે [आवश्यकम्] ‘આવશ્યક’ છે [इति बोद्धव्यम्] એમ જાણવું; [युक्ति : इति] તે (અશરીર થવાની) યુક્તિ છે, [उपायः इति च] તે (અશરીર થવાનો) ઉપાય છે, [निरवयवः भवति] તેનાથી જીવ નિરવયવ (અર્થાત્ અશરીર) થાય છે. [निरुक्ति :] આમ નિરુક્તિ છે.