Niyamsar (Gujarati). Shlok: 239.

< Previous Page   Next Page >


Page 280 of 380
PDF/HTML Page 309 of 409

 

નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

अवशस्य परमजिनयोगीश्वरस्य परमावश्यककर्मावश्यं भवतीत्यत्रोक्त म्

यो हि योगी स्वात्मपरिग्रहादन्येषां पदार्थानां वशं न गतः, अत एव अवश इत्युक्त :, अवशस्य तस्य परमजिनयोगीश्वरस्य निश्चयधर्मध्यानात्मकपरमावश्यक- कर्मावश्यं भवतीति बोद्धव्यम् निरवयवस्योपायो युक्ति : अवयवः कायः, अस्याभावात् अवयवाभावः अवशः परद्रव्याणां निरवयवो भवतीति निरुक्ति : व्युत्पत्तिश्चेति

(मंदाक्रांता)
योगी कश्चित्स्वहितनिरतः शुद्धजीवास्तिकायाद्
अन्येषां यो न वश इति या संस्थितिः सा निरुक्ति :
तस्मादस्य प्रहतदुरितध्वान्तपुंजस्य नित्यं
स्फू र्जज्ज्योतिःस्फु टितसहजावस्थयाऽमूर्तता स्यात
।।२३9।।

ટીકાઅહીં, *અવશ પરમજિનયોગીશ્વરને પરમ આવશ્યક કર્મ જરૂર છે એમ કહ્યું છે.

જે યોગી નિજ આત્માના પરિગ્રહ સિવાય અન્ય પદાર્થોને વશ થતો નથી અને તેથી જ જેને ‘અવશ’ કહેવામાં આવે છે, તે અવશ પરમજિનયોગીશ્વરને નિશ્ચય- ધર્મધ્યાનસ્વરૂપ પરમ-આવશ્યક-કર્મ જરૂર છે એમ જાણવું. (તે પરમ-આવશ્યક-કર્મ) નિરવયવપણાનો ઉપાય છે, યુક્તિ છે. અવયવ એટલે કાય; તેનો (કાયનો) અભાવ તે અવયવનો અભાવ (અર્થાત્ નિરવયવપણું). પરદ્રવ્યોને અવશ જીવ નિરવયવ થાય છે (અર્થાત્ જે જીવ પરદ્રવ્યોને વશ થતો નથી તે અકાય થાય છે). આ પ્રમાણે નિરુક્તિવ્યુત્પત્તિછે.

[હવે આ ૧૪૨ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ]

[શ્લોકાર્થ] કોઈ યોગી સ્વહિતમાં લીન રહેતો થકો શુદ્ધજીવાસ્તિકાય સિવાયના અન્ય પદાર્થોને વશ થતો નથી. આમ જે સુસ્થિત રહેવું તે નિરુક્તિ (અર્થાત અવશપણાનો વ્યુત્પત્તિ-અર્થ) છે. એમ કરવાથી (પોતામાં લીન રહી પરને વશ નહિ

૨૮૦ ]

*અવશ = પરને વશ ન હોય એવા; સ્વવશ; સ્વાધીન; સ્વતંત્ર.