त्रिभुवनभुवनान्तर्ध्वांतपुंजायमानम् ।
वसतिमनुपमां तामस्मदीयां स्मरन्ति ।।२४०।।
मिथ्यात्वादिकलंकपंकरहितः सद्धर्मरक्षामणिः ।
मुक्तानेकपरिग्रहव्यतिकरः पापाटवीपावकः ।।२४१।।
नमस्या सा योग्या शतमखशतस्यापि सततम् ।
सुखं रेमे कश्चिद्बत कलिहतोऽसौ जडमतिः ।।२४२।।
[હવે આ ૧૪૩મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ પાંચ શ્લોક કહે છેઃ] [શ્લોકાર્થઃ — ] ત્રિલોકરૂપી મકાનમાં રહેલા (મહા) તિમિરપુંજ જેવું મુનિઓનું આ (કોઈ) નવું તીવ્ર મોહનીય છે કે (પહેલાં) તેઓ તીવ્ર વૈરાગ્યભાવથી ઘાસના ઘરને પણ છોડીને (પછી) ‘અમારું તે અનુપમ ઘર!’ એમ સ્મરણ કરે છે! ૨૪૦.
[શ્લોકાર્થઃ — ] કળિકાળમાં પણ ક્યાંક કોઈક ભાગ્યશાળી જીવ મિથ્યાત્વાદિરૂપ મળકાદવથી રહિત અને *સદ્ધર્મરક્ષામણિ એવો સમર્થ મુનિ થાય છે. જેણે અનેક પરિગ્રહોના વિસ્તારને છોડ્યો છે અને જે પાપરૂપી અટવીને બાળનારો અગ્નિ છે તે આ મુનિ આ કાળે ભૂતળમાં તેમ જ દેવલોકમાં દેવોથી પણ સારી રીતે પૂજાય છે. ૨૪૧.
[શ્લોકાર્થઃ — ] આ લોકમાં તપશ્ચર્યા સમસ્ત સુબુદ્ધિઓને પ્રાણપ્યારી છે; તે યોગ્ય
૨૮૨ ]
*સદ્ધર્મરક્ષામણિ = સદ્ધર્મની રક્ષા કરનારો મણિ. (રક્ષામણિ = આપત્તિઓથી અથવા પિશાચ વગેરેથી
પોતાની જાતને બચાવવા માટે પહેરવામાં આવતો મણિ).