તપશ્ચર્યા સો ઇન્દ્રોને પણ સતત વંદનીય છે. તેને પામીને જે કોઈ જીવ કામાન્ધકારયુક્ત સંસારથી જનિત સુખમાં રમે છે, તે જડમતિ અરેરે! કળિથી હણાયેલો છે ( – કળિકાળથી ઇજા પામેલો છે). ૨૪૨.
[શ્લોકાર્થઃ — ] જે જીવ અન્યવશ છે તે ભલે મુનિવેશધારી હોય તોપણ સંસારી છે, નિત્ય દુઃખનો ભોગવનાર છે; જે જીવ સ્વવશ છે તે જીવન્મુક્ત છે, જિનેશ્વરથી કિંચિત્ ન્યૂન છે (અર્થાત્ તેનામાં જિનેશ્વરદેવ કરતાં જરાક જ ઊણપ છે). ૨૪૩.
[શ્લોકાર્થઃ — ] આમ હોવાથી જ જિનનાથના માર્ગને વિષે મુનિવર્ગમાં સ્વવશ મુનિ સદા શોભે છે; અને અન્યવશ મુનિ નોકરના સમૂહોમાં *રાજવલ્લભ નોકર સમાન શોભે છે (અર્થાત્ જેમ આવડત વિનાનો, ખુશામતિયો નોકર શોભતો નથી તેમ અન્યવશ મુનિ શોભતો નથી). ૨૪૪.
અન્વયાર્થઃ — [यः] જે (જીવ) [संयतः] સંયત રહેતો થકો [खलु] ખરેખર [शुभभावे] શુભ ભાવમાં [चरति] ચરે — પ્રવર્તે છે, [सः] તે [अन्यवशः भवेत्] અન્યવશ
*રાજવલ્લભ = (ખુશામતથી) રાજાનો માનીતો થયેલો