Niyamsar (Gujarati). Shlok: 243-244 Gatha: 144.

< Previous Page   Next Page >


Page 283 of 380
PDF/HTML Page 312 of 409

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિશ્ચય-પરમાવશ્યક અધિકાર
[ ૨૮૩
(आर्या)
अन्यवशः संसारी मुनिवेषधरोपि दुःखभाङ्नित्यम्
स्ववशो जीवन्मुक्त : किंचिन्न्यूनो जिनेश्वरादेषः ।।२४३।।
(आर्या)
अत एव भाति नित्यं स्ववशो जिननाथमार्गमुनिवर्गे
अन्यवशो भात्येवं भृत्यप्रकरेषु राजवल्लभवत।।२४४।।
जो चरदि संजदो खलु सुहभावे सो हवेइ अण्णवसो
तम्हा तस्स दु कम्मं आवासयलक्खणं ण हवे ।।१४४।।
यश्चरति संयतः खलु शुभभावे स भवेदन्यवशः
तस्मात्तस्य तु कर्मावश्यकलक्षणं न भवेत।।१४४।।

તપશ્ચર્યા સો ઇન્દ્રોને પણ સતત વંદનીય છે. તેને પામીને જે કોઈ જીવ કામાન્ધકારયુક્ત સંસારથી જનિત સુખમાં રમે છે, તે જડમતિ અરેરે! કળિથી હણાયેલો છે (કળિકાળથી ઇજા પામેલો છે). ૨૪૨.

[શ્લોકાર્થ] જે જીવ અન્યવશ છે તે ભલે મુનિવેશધારી હોય તોપણ સંસારી છે, નિત્ય દુઃખનો ભોગવનાર છે; જે જીવ સ્વવશ છે તે જીવન્મુક્ત છે, જિનેશ્વરથી કિંચિત્ ન્યૂન છે (અર્થાત્ તેનામાં જિનેશ્વરદેવ કરતાં જરાક જ ઊણપ છે). ૨૪૩.

[શ્લોકાર્થ] આમ હોવાથી જ જિનનાથના માર્ગને વિષે મુનિવર્ગમાં સ્વવશ મુનિ સદા શોભે છે; અને અન્યવશ મુનિ નોકરના સમૂહોમાં *રાજવલ્લભ નોકર સમાન શોભે છે (અર્થાત્ જેમ આવડત વિનાનો, ખુશામતિયો નોકર શોભતો નથી તેમ અન્યવશ મુનિ શોભતો નથી). ૨૪૪.

સંયત રહી શુભમાં ચરે, તે શ્રમણ છે વશ અન્યને;
તે કારણે આવશ્યકાત્મક કર્મ છે નહિ તેહને. ૧૪૪.

અન્વયાર્થ[यः] જે (જીવ) [संयतः] સંયત રહેતો થકો [खलु] ખરેખર [शुभभावे] શુભ ભાવમાં [चरति] ચરેપ્રવર્તે છે, [सः] તે [अन्यवशः भवेत्] અન્યવશ

*રાજવલ્લભ = (ખુશામતથી) રાજાનો માનીતો થયેલો