अत्राप्यन्यवशस्याशुद्धान्तरात्मजीवस्य लक्षणमभिहितम् ।
यः खलु जिनेन्द्रवदनारविन्दविनिर्गतपरमाचारशास्त्रक्रमेण सदा संयतः सन्
शुभोपयोगे चरति, व्यावहारिकधर्मध्यानपरिणतः अत एव चरणकरणप्रधानः, स्वाध्यायकालमवलोकयन् स्वाध्यायक्रियां करोति, दैनं दैनं भुक्त्वा भुक्त्वा चतुर्विधाहारप्रत्याख्यानं च करोति, तिसृषु संध्यासु भगवदर्हत्परमेश्वरस्तुतिशत- सहस्रमुखरमुखारविन्दो भवति, त्रिकालेषु च नियमपरायणः इत्यहोरात्रेऽप्येकादशक्रिया-तत्परः, पाक्षिकमासिकचातुर्मासिकसांवत्सरिकप्रतिक्रमणाकर्णनसमुपजनितपरितोषरोमांच- कंचुकितधर्मशरीरः, अनशनावमौदर्यरसपरित्यागवृत्तिपरिसंख्यानविविक्त शयनासनकाय- क्लेशाभिधानेषु षट्सु बाह्यतपस्सु च संततोत्साहपरायणः, स्वाध्यायध्यानशुभाचरणप्रच्युत- प्रत्यवस्थापनात्मकप्रायश्चित्तविनयवैयावृत्त्यव्युत्सर्गनामधेयेषु चाभ्यन्तरतपोनुष्ठानेषु च
છે; [तस्मात्] તેથી [तस्य तु] તેને [आवश्यकलक्षणं कर्म] આવશ્યકસ્વરૂપ કર્મ [न भवेत्] નથી.
ટીકાઃ — અહીં પણ (આ ગાથામાં પણ), અન્યવશ એવા અશુદ્ધ-અંતરાત્મજીવનું લક્ષણ કહ્યું છે.
જે (શ્રમણ) ખરેખર જિનેંદ્રના વદનારવિંદમાંથી નીકળેલા પરમ-આચારશાસ્ત્રના ક્રમથી (રીતથી) સદા સંયત રહેતો થકો શુભોપયોગમાં ચરે — પ્રવર્તે છે; વ્યાવહારિક ધર્મધ્યાનમાં પરિણત રહે છે તેથી જ *ચરણકરણપ્રધાન છે; સ્વાધ્યાયકાળને અવલોકતો થકો ( – સ્વાધ્યાયયોગ્ય કાળનું ધ્યાન રાખીને) સ્વાધ્યાયક્રિયા કરે છે, પ્રતિદિન ભોજન કરીને ચતુર્વિધ આહારનું પ્રત્યાખ્યાન કરે છે, ત્રણ સંધ્યાઓ વખતે ( – સવારે, બપોરે ને સાંજે) ભગવાન અર્હત્ પરમેશ્વરની લાખો સ્તુતિ મુખકમળથી બોલે છે, ત્રણે કાળે નિયમપરાયણ રહે છે (અર્થાત્ ત્રણે વખતના નિયમોમાં તત્પર રહે છે), — એ રીતે અહર્નિશ (દિવસ-રાત થઈને) અગિયાર ક્રિયામાં તત્પર રહે છે; પાક્ષિક, માસિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણ સાંભળવાથી ઊપજેલા સંતોષથી જેનું ધર્મશરીર રોમાંચથી છવાઈ જાય છે; અનશન, અવમૌદર્ય, રસપરિત્યાગ, વૃત્તિપરિસંખ્યાન, વિવિક્ત શય્યાસન અને કાયક્લેશ નામનાં છ બાહ્ય તપમાં જે સતત ઉત્સાહપરાયણ રહે છે; સ્વાધ્યાય, ધ્યાન, શુભ આચરણથી ચ્યુત થતાં ફરી તેમાં સ્થાપનસ્વરૂપ પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ત્ય અને વ્યુત્સર્ગ નામનાં
૨૮૪ ]
*ચરણકરણપ્રધાન = શુભ આચરણના પરિણામ જેને મુખ્ય છે એવો