Niyamsar (Gujarati). Shlok: 245.

< Previous Page   Next Page >


Page 285 of 380
PDF/HTML Page 314 of 409

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિશ્ચય-પરમાવશ્યક અધિકાર
[ ૨૮૫

कुशलबुद्धिः, किन्तु स निरपेक्षतपोधनः साक्षान्मोक्षकारणं स्वात्माश्रयावश्यककर्म निश्चयतः परमात्मतत्त्वविश्रान्तिरूपं निश्चयधर्मध्यानं शुक्लध्यानं च न जानीते, अतः परद्रव्यगतत्वादन्यवश इत्युक्त : अस्य हि तपश्चरणनिरतचित्तस्यान्यवशस्य नाकलोकादिक्लेशपरंपरया शुभोपयोगफलात्मभिः प्रशस्तरागांगारैः पच्यमानः सन्नासन्न- भव्यतागुणोदये सति परमगुरुप्रसादासादितपरमतत्त्वश्रद्धानपरिज्ञानानुष्ठानात्मकशुद्ध- निश्चयरत्नत्रयपरिणत्या निर्वाणमुपयातीति

(हरिणी)
त्यजतु सुरलोकादिक्लेशे रतिं मुनिपुंगवो
भजतु परमानन्दं निर्वाणकारणकारणम्
सकलविमलज्ञानावासं निरावरणात्मकं
सहजपरमात्मानं दूरं नयानयसंहतेः
।।२४५।।

અભ્યંતર તપના અનુષ્ઠાનમાં (આચરણમાં) જે કુશળબુદ્ધિવાળો છે; પરંતુ તે નિરપેક્ષ તપોધન સાક્ષાત્ મોક્ષના કારણભૂત સ્વાત્માશ્રિત આવશ્યક-કર્મનેનિશ્ચયથી પરમાત્મતત્ત્વમાં વિશ્રાંતિરૂપ નિશ્ચયધર્મધ્યાનને તથા શુક્લધ્યાનનેજાણતો નથી; તેથી પરદ્રવ્યમાં પરિણત હોવાથી તેને અન્યવશ કહેવામાં આવ્યો છે. જેનું ચિત્ત તપશ્ચરણમાં લીન છે એવો આ અન્યવશ શ્રમણ દેવલોકાદિના ક્લેશની પરંપરા પામવાથી શુભોપયોગના ફળસ્વરૂપ પ્રશસ્ત રાગરૂપી અંગારાઓથી શેકાતો થકો, આસન્નભવ્યતારૂપી ગુણનો ઉદય થતાં પરમગુરુના પ્રસાદથી પ્રાપ્ત પરમતત્ત્વનાં શ્રદ્ધાન-જ્ઞાન-અનુષ્ઠાનસ્વરૂપ શુદ્ધ-નિશ્ચય-રત્નત્રયપરિણતિ વડે નિર્વાણને પામે છે (અર્થાત્ ક્યારેક શુદ્ધ-નિશ્ચય-રત્નત્રયપરિણતિને પ્રાપ્ત કરે તો જ અને ત્યારે જ નિર્વાણને પામે છે).

[હવે આ ૧૪૪મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ]

[શ્લોકાર્થ] મુનિવર દેવલોકાદિના ક્લેશ પ્રત્યે રતિ તજો અને *નિર્વાણના કારણનું કારણ એવા સહજપરમાત્માને ભજોકે જે સહજપરમાત્મા પરમાનંદમય છે, સર્વથા નિર્મળ જ્ઞાનનું રહેઠાણ છે, નિરાવરણસ્વરૂપ છે અને નય-અનયના સમૂહથી (સુનયો તથા કુનયોના સમૂહથી) દૂર છે. ૨૪૫.

*નિર્વાણનું કારણ પરમશુદ્ધોપયોગ છે અને પરમશુદ્ધોપયોગનું કારણ સહજપરમાત્મા છે.