प्रनष्टभवकारणः प्रहतपूर्वकर्मावलिः ।
सदाशिवमयां मुदा व्रजति सर्वथा निर्वृतिम् ।।२४७।।
प्रहतचारुवधूकनकस्पृह ।
स्मरकिरातशरक्षतचेतसाम् ।।२५०।।
[હવે આ ૧૪૬મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ આઠ શ્લોકો કહે છેઃ]
[શ્લોકાર્થઃ — ] ઉદાર જેની બુદ્ધિ છે, ભવનું કારણ જેણે નષ્ટ કર્યું છે, પૂર્વ કર્માવલિ જેણે હણી નાખી છે અને સ્પષ્ટ ઉત્કટ વિવેક દ્વારા પ્રગટ-શુદ્ધબોધસ્વરૂપ સદાશિવમય સંપૂર્ણ મુક્તિને જે પ્રમોદથી પામે છે, તે આ સ્વવશ મુનિશ્રેષ્ઠ જયવંત છે. ૨૪૭.
[શ્લોકાર્થઃ — ] કામદેવનો જેમણે નાશ કર્યો છે અને (જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ- વીર્યાત્મક) પંચાચારથી સુશોભિત જેમની આકૃતિ છે — એવા અવંચક (માયાચાર રહિત) ગુરુનું વાક્ય મુક્તિસંપદાનું કારણ છે. ૨૪૮.
[શ્લોકાર્થઃ — ] નિર્વાણનું કારણ એવો જે જિનેંદ્રનો માર્ગ તેને આ રીતે જાણીને જે નિર્વાણસંપદાને પામે છે, તેને હું ફરીફરીને વંદું છું. ૨૪૯.
[શ્લોકાર્થઃ — ] જેણે સુંદર સ્ત્રીની અને સુવર્ણની સ્પૃહાને નષ્ટ કરી છે એવા હે