तनुविशोषणमेव न चापरम् ।
स्ववश जन्म सदा सफलं मम ।।२५१।।
स्वरसविसरपूरक्षालितांहः समंतात् ।
स्ववशमनसि नित्यं संस्थितः शुद्धसिद्धः ।।२५२।।
યોગીસમૂહમાં શ્રેષ્ઠ સ્વવશ યોગી! તું અમારું — કામદેવરૂપી ભીલના તીરથી ઘવાયેલા ચિત્તવાળાનું — ભવરૂપી અરણ્યમાં શરણ છે. ૨૫૦.
[શ્લોકાર્થઃ — ] અનશનાદિ તપશ્ચરણોનું ફળ શરીરનું શોષણ ( – સુકાવું) જ છે, બીજું નહિ. (પરંતુ) હે સ્વવશ! (હે આત્મવશ મુનિ!) તારા ચરણકમળયુગલના ચિંતનથી મારો જન્મ સદા સફળ છે. ૨૫૧.
[શ્લોકાર્થઃ — ] જેણે નિજ રસના વિસ્તારરૂપી પૂર વડે પાપને સર્વ તરફથી ધોઈ નાખ્યાં છે, જે સહજ સમતારસથી પૂર્ણ ભરેલો હોવાથી પવિત્ર છે, જે પુરાણ (સનાતન) છે, જે સ્વવશ મનમાં સદા સુસ્થિત છે (અર્થાત્ જે સદા મનને – ભાવને સ્વવશ કરીને બિરાજમાન છે) અને જે શુદ્ધ સિદ્ધ છે (અર્થાત્ જે શુદ્ધ સિદ્ધભગવાન સમાન છે) — એવો સહજ તેજરાશિમાં મગ્ન જીવ જયવંત છે. ૨૫૨.
[શ્લોકાર્થઃ — ] સર્વજ્ઞ-વીતરાગમાં અને આ સ્વવશ યોગીમાં ક્યારેય કાંઈ પણ ભેદ નથી; છતાં અરેરે! આપણે જડ છીએ કે તેમનામાં ભેદ ગણીએ છીએ. ૨૫૩.
[શ્લોકાર્થઃ — ] આ જન્મમાં સ્વવશ મહામુનિ એક જ સદા ધન્ય છે કે જે
૨૯૦ ]