Niyamsar (Gujarati). Shlok: 4-7.

< Previous Page   Next Page >


Page 3 of 380
PDF/HTML Page 32 of 409

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]
જીવ અધિકાર
[ ૩
(अनुष्टुभ्)
अपवर्गाय भव्यानां शुद्धये स्वात्मनः पुनः
वक्ष्ये नियमसारस्य वृत्तिं तात्पर्यसंज्ञिकाम् ।।।।
किंच
(आर्या)
गुणधरगणधररचितं श्रुतधरसन्तानतस्तु सुव्यक्त म्
परमागमार्थसार्थं वक्तु ममुं के वयं मन्दाः ।।।।
अपि च
(अनुष्टुभ्)
अस्माकं मानसान्युच्चैः प्रेरितानि पुनः पुनः
परमागमसारस्य रुच्या मांसलयाऽधुना ।।।।
(अनुष्टुभ्)
पंचास्तिकायषड्द्रव्यसप्ततत्त्वनवार्थकाः
प्रोक्ताः सूत्रकृता पूर्वं प्रत्याख्यानादिसत्क्रियाः ।।।।

अलमलमतिविस्तरेण स्वस्ति साक्षादस्मै विवरणाय

[શ્લોકાર્થઃ] ભવ્યોના મોક્ષને માટે તેમ જ નિજ આત્માની શુદ્ધિને અર્થે નિયમસારની ‘તાત્પર્યવૃત્તિ’ નામની ટીકા હું કહીશ. ૪.

વળી

[શ્લોકાર્થઃ] ગુણના ધરનાર ગણધરોથી રચાયેલા અને શ્રુતધરોની પરંપરાથી સારી રીતે વ્યક્ત કરાયેલા આ પરમાગમના અર્થસમૂહનું કથન કરવાને અમે મંદબુદ્ધિ તે કોણ? ૫.

તથાપિ

[શ્લોકાર્થઃ] હમણાં અમારું મન પરમાગમના સારની પુષ્ટ રુચિથી ફરી ફરીને અત્યંત પ્રેરિત થાય છે. [એ રુચિથી પ્રેરિત થવાને લીધે ‘તાત્પર્યવૃત્તિ’ નામની આ ટીકા રચાય છે.] ૬.

[શ્લોકાર્થઃ] સૂત્રકારે પૂર્વે પાંચ અસ્તિકાય, છ દ્રવ્ય, સાત તત્ત્વ અને નવ પદાર્થ તેમ જ પ્રત્યાખ્યાનાદિ સત્ક્રિયા કહેલ છે (અર્થાત્ ભગવાન કુંદકુંદાચાર્યદેવે આ શાસ્ત્રમાં પ્રથમ પાંચ અસ્તિકાય વગેરે અને પછી પ્રત્યાખ્યાનાદિ સત્ક્રિયા કહેલ છે). ૭.

અતિ વિસ્તારથી બસ થાઓ, બસ થાઓ. સાક્ષાત્ આ વિવરણ જયવંત વર્તો.