वशाभिधानपरमश्रमणः सर्वोत्कृष्टोऽन्तरात्मा, षोडशकषायाणामभावादयं क्षीणमोहपदवीं परिप्राप्य स्थितो महात्मा । असंयतसम्यग्द्रष्टिर्जघन्यांतरात्मा । अनयोर्मध्यमाः सर्वे मध्यमान्तरात्मानः । निश्चयव्यवहारनयद्वयप्रणीतपरमावश्यकक्रियाविहीनो बहिरात्मेति ।
અન્વયાર્થઃ — [आवश्यकेन युक्त :] આવશ્યક સહિત [श्रमणः] શ્રમણ [सः] તે [अंतरंगात्मा] અંતરાત્મા [भवति] છે; [आवश्यकपरिहीणः] આવશ્યક રહિત [श्रमणः] શ્રમણ [सः] તે [बहिरात्मा] બહિરાત્મા [भवति] છે.
ટીકાઃ — અહીં, આવશ્યક કર્મના અભાવમાં તપોધન બહિરાત્મા હોય છે એમ કહ્યું છે.
અભેદ-અનુપચાર-રત્નત્રયાત્મક *સ્વાત્માનુષ્ઠાનમાં નિયત પરમાવશ્યક-કર્મથી નિરંતર સંયુક્ત એવો જે ‘સ્વવશ’ નામનો પરમ શ્રમણ તે સર્વોત્કૃષ્ટ અંતરાત્મા છે; આ મહાત્મા સોળ કષાયોના અભાવ દ્વારા ક્ષીણમોહપદવીને પ્રાપ્ત કરીને સ્થિત છે. અસંયત સમ્યગ્દ્રષ્ટિ જઘન્ય અંતરાત્મા છે. આ બેની મધ્યમાં રહેલા સર્વે મધ્યમ અંતરાત્મા છે. નિશ્ચય અને વ્યવહાર એ બે નયોથી પ્રણીત જે પરમ આવશ્યક ક્રિયા તેનાથી જે રહિત હોય તે બહિરાત્મા છે.
શ્રી માર્ગપ્રકાશમાં પણ (બે શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ —
‘‘[શ્લોકાર્થઃ — ] અન્યસમય (અર્થાત્ પરમાત્મા સિવાયના જીવો) બહિરાત્મા અને અંતરાત્મા એમ બે પ્રકારે છે; તેમાં બહિરાત્મા દેહ-ઇન્દ્રિય વગેરેમાં આત્મબુદ્ધિવાળો હોય છે.’’
*સ્વાત્માનુષ્ઠાન = નિજ આત્માનું આચરણ. (પરમ આવશ્યક કર્મ અભેદ-અનુપચાર-રત્નત્રયસ્વરૂપ
સ્વાત્માચરણમાં નિયમથી રહેલું છે અર્થાત્ તે સ્વાત્માચરણ જ પરમ આવશ્યક કર્મ છે.)