पडिकमणपहुदिकिरियं कुव्वंतो णिच्छयस्स चारित्तं ।
परमवीतरागचारित्रस्थितस्य परमतपोधनस्य स्वरूपमत्रोक्त म् ।
यो हि विमुक्तैहिकव्यापारः साक्षादपुनर्भवकांक्षी महामुमुक्षुः परित्यक्त सकलेन्द्रिय-
व्यापारत्वान्निश्चयप्रतिक्रमणादिसत्क्रियां कुर्वन्नास्ते, तेन कारणेन स्वस्वरूपविश्रान्तिलक्षणे परमवीतरागचारित्रे स परमतपोधनस्तिष्ठति इति ।
વિકલ્પ કુબુદ્ધિઓને હોય છે; સંસારરૂપી રમણીને પ્રિય એવો આ વિકલ્પ સુબુદ્ધિઓને હોતો નથી. ૨૬૧.
અન્વયાર્થઃ — [प्रतिक्रमणप्रभृतिक्रियां] પ્રતિક્રમણાદિ ક્રિયાને — [निश्चयस्य चारित्रम्] નિશ્ચયના ચારિત્રને — [कुर्वन्] (નિરંતર) કરતો રહે છે [तेन तु] તેથી [श्रमणः] તે શ્રમણ [विरागचरिते] વીતરાગ ચારિત્રમાં [अभ्युत्थितः भवति] આરૂઢ છે.
ટીકાઃ — અહીં પરમ વીતરાગ ચારિત્રમાં સ્થિત પરમ તપોધનનું સ્વરૂપ કહ્યું છે.
જેણે ઐહિક વ્યાપાર (સાંસારિક કાર્યો) તજેલ છે એવો જે સાક્ષાત્ અપુનર્ભવનો (મોક્ષનો) અભિલાષી મહામુમુક્ષુ સકળ ઇન્દ્રિયવ્યાપારને છોડ્યો હોવાથી નિશ્ચય- પ્રતિક્રમણાદિ સત્ક્રિયાને કરતો સ્થિત છે (અર્થાત્ નિરંતર કરે છે), તે પરમ તપોધન તે કારણે નિજસ્વરૂપવિશ્રાંતિલક્ષણ પરમવીતરાગ-ચારિત્રમાં સ્થિત છે (અર્થાત્ તે પરમ શ્રમણ, નિશ્ચયપ્રતિક્રમણાદિ નિશ્ચયચારિત્રમાં સ્થિત હોવાને લીધે, જેનું લક્ષણ નિજ સ્વરૂપમાં વિશ્રાંતિ છે એવા પરમવીતરાગ ચારિત્રમાં સ્થિત છે).
[હવે આ ૧૫૨ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ]
૩૦૦ ]