न्नित्योद्योतस्फु टितसहजावस्थमेकान्तशुद्धम् ।
पूर्णं ज्ञानं ज्वलितमचले स्वस्य लीनं महिम्नि ।।’’
मुक्ति श्रीकामिनीकोमलमुखकमले कामपीडां तनोति ।
तेनोच्चैर्निश्चयेन प्रहतमलकलिः स्वस्वरूपं स वेत्ति ।।२७२।।
‘‘[શ્લોકાર્થઃ — ] કર્મબંધના છેદથી અતુલ અક્ષય (અવિનાશી) મોક્ષને અનુભવતું, નિત્ય ઉદ્યોતવાળી (જેનો પ્રકાશ નિત્ય છે એવી) સહજ અવસ્થા જેની ખીલી નીકળી છે એવું, એકાંતશુદ્ધ ( – કર્મનો મેલ નહિ રહેવાથી જે અત્યંત શુદ્ધ થયું છે એવું), અને એકાકાર (એક જ્ઞાનમાત્ર આકારે પરિણમેલા) નિજરસની અતિશયતાથી જે અત્યંત ગંભીર અને ધીર છે એવું આ પૂર્ણ જ્ઞાન ઝળહળી ઊઠ્યું ( – સર્વથા શુદ્ધ આત્મદ્રવ્ય જાજ્વલ્યમાન પ્રગટ થયું), પોતાના અચળ મહિમામાં લીન થયું.’’
વળી (આ ૧૫૯ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છે)ઃ —
[શ્લોકાર્થઃ — ] વ્યવહારનયથી આ કેવળજ્ઞાનમૂર્તિ આત્મા નિરંતર વિશ્વને ખરેખર જાણે છે અને મુક્તિલક્ષ્મીરૂપી કામિનીના કોમળ મુખકમળ પર કામપીડાને અને સૌભાગ્યચિહ્નવાળી શોભાને ફેલાવે છે. નિશ્ચયથી તો, જેમણે મળ અને ક્લેશને નષ્ટ કરેલ છે એવા તે દેવાધિદેવ જિનેશ નિજ સ્વરૂપને અત્યંત જાણે છે. ૨૭૨.