Niyamsar (Gujarati).

< Previous Page   Next Page >


Page 316 of 380
PDF/HTML Page 345 of 409

 

૬ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
युगपद् वर्तते ज्ञानं केवलज्ञानिनो दर्शनं च तथा
दिनकरप्रकाशतापौ यथा वर्तेते तथा ज्ञातव्यम् ।।१६०।।

इह हि केवलज्ञानकेवलदर्शनयोर्युगपद्वर्तनं द्रष्टान्तमुखेनोक्त म्

अत्र द्रष्टान्तपक्षे क्वचित्काले बलाहकप्रक्षोभाभावे विद्यमाने नभस्स्थलस्य मध्यगतस्य सहस्रकिरणस्य प्रकाशतापौ यथा युगपद् वर्तेते, तथैव च भगवतः परमेश्वरस्य तीर्थाधिनाथस्य जगत्त्रयकालत्रयवर्तिषु स्थावरजंगमद्रव्यगुणपर्यायात्मकेषु ज्ञेयेषु सकलविमलकेवलज्ञानकेवलदर्शने च युगपद् वर्तेते किं च संसारिणां दर्शनपूर्वमेव ज्ञानं भवति इति

तथा चोक्तं प्रवचनसारे

‘‘णाणं अत्थंतगयं लोयालोएसु वित्थडा दिट्ठी
णट्ठमणिट्ठं सव्वं इट्ठं पुण जं तु तं लद्धं ।।’’

અન્વયાર્થ[केवलज्ञानिनः] કેવળજ્ઞાનીને [ज्ञानं] જ્ઞાન [तथा च] તેમ જ [दर्शनं] દર્શન [युगपद्] યુગપદ્ [वर्तते] વર્તે છે. [दिनकरप्रकाशतापौ] સૂર્યના પ્રકાશ અને તાપ [यथा] જેવી રીતે [वर्तेते] (યુગપદ્) વર્તે છે [तथा ज्ञातव्यम्] તેવી રીતે જાણવું.

ટીકાઅહીં ખરેખર કેવળજ્ઞાન અને કેવળદર્શનનું યુગપદ્ વર્તવાપણું દ્રષ્ટાંત દ્વારા કહ્યું છે.

અહીં દ્રષ્ટાંતપક્ષે કોઈ વખતે વાદળાંની ખલેલ ન હોય ત્યારે આકાશના મધ્યમાં રહેલા સૂર્યના પ્રકાશ અને તાપ જેવી રીતે યુગપદ્ વર્તે છે, તેવી જ રીતે ભગવાન પરમેશ્વર તીર્થાધિનાથને ત્રિલોકવર્તી અને ત્રિકાળવર્તી, સ્થાવર-જંગમ દ્રવ્યગુણપર્યાયાત્મક જ્ઞેયોમાં સકળ-વિમળ (સર્વથા નિર્મળ) કેવળજ્ઞાન અને કેવળદર્શન યુગપદ્ વર્તે છે. વળી (વિશેષ એટલું સમજવું કે), સંસારીઓને દર્શનપૂર્વક જ જ્ઞાન હોય છે (અર્થાત્ પ્રથમ દર્શન અને પછી જ્ઞાન થાય છે, યુગપદ્ થતાં નથી).

એવી રીતે (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત) શ્રી પ્રવચનસારમાં (૬૧મી ગાથા દ્વારા) કહ્યું છે કેઃ

‘‘[ગાથાર્થઃ] જ્ઞાન પદાર્થોના પારને પામેલું છે અને દર્શન લોકાલોકમાં વિસ્તૃત

૩૧