Niyamsar (Gujarati).

< Previous Page   Next Page >


Page 320 of 380
PDF/HTML Page 349 of 409

 

૦ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

दर्शनमपि शुद्धात्मानं पश्यति दर्शनज्ञानप्रभृत्यनेकधर्माणामाधारो ह्यात्मा व्यवहार- पक्षेऽपि केवलं परप्रकाशकस्य ज्ञानस्य न चात्मसम्बन्धः सदा बहिरवस्थितत्वात्, आत्मप्रतिपत्तेरभावात् न सर्वगतत्वम्; अतःकारणादिदं ज्ञानं न भवति, मृगतृष्णाजलवत प्रतिभासमात्रमेव दर्शनपक्षेऽपि तथा न केवलमभ्यन्तरप्रतिपत्तिकारणं दर्शनं भवति सदैव सर्वं पश्यति हि चक्षुः स्वस्याभ्यन्तरस्थितां कनीनिकां न पश्यत्येव अतः स्वपरप्रकाशकत्वं ज्ञानदर्शनयोरविरुद्धमेव ततः स्वपरप्रकाशको ह्यात्मा ज्ञानदर्शनलक्षण इति तथा चोक्तं श्रीमदमृतचन्द्रसूरिभिः

માટે અવિરુદ્ધ એવી સ્યાદ્વાદવિદ્યારૂપી દેવી સજ્જનો વડે સમ્યક્ પ્રકારે નિરંતર આરાધવાયોગ્ય છે. ત્યાં (સ્યાદ્વાદમતમાં), એકાન્તે જ્ઞાનને પરપ્રકાશકપણું જ નથી; સ્યાદ્વાદમતમાં દર્શન પણ કેવળ શુદ્ધાત્માને જ દેખતું નથી (અર્થાત્ માત્ર સ્વપ્રકાશક જ નથી). આત્મા દર્શન, જ્ઞાન વગેરે અનેક ધર્મોનો આધાર છે. (ત્યાં) વ્યવહારપક્ષે પણ જ્ઞાન કેવળ પરપ્રકાશક હોય તો, સદા બાહ્યસ્થિતપણાને લીધે, (જ્ઞાનને) આત્મા સાથે સંબંધ રહે નહિ અને (તેથી) *આત્મપ્રતિપત્તિના અભાવને લીધે સર્વગતપણું (પણ) બને નહિ. આ કારણને લીધે, આ જ્ઞાન હોય જ નહિ (અર્થાત્ જ્ઞાનનું અસ્તિત્વ જ ન હોય), મૃગતૃષ્ણાના જળની માફક આભાસમાત્ર જ હોય. એવી રીતે દર્શનપક્ષે પણ, દર્શન કેવળ +અભ્યંતરપ્રતિપત્તિનું જ કારણ નથી, (સર્વપ્રકાશનનું કારણ છે); (કેમ કે) ચક્ષુ સદૈવ સર્વને દેખે છે, પોતાના અભ્યંતરમાં રહેલી કીકીને દેખતું નથી (માટે ચક્ષુની વાતથી એમ સમજાય છે કે દર્શન અભ્યંતરને દેખે અને બાહ્યસ્થિત પદાર્થોને ન દેખે એવો કોઈ નિયમ ઘટતો નથી). આથી, જ્ઞાન અને દર્શનને (બન્નેને) સ્વપરપ્રકાશકપણું અવિરુદ્ધ જ છે. માટે (એ રીતે) જ્ઞાનદર્શનલક્ષણવાળો આત્મા સ્વપરપ્રકાશક છે.

એવી રીતે (આચાર્યદેવ) શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિએ (શ્રી પ્રવચનસારની ટીકામાં ચોથા શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ

૩૨

*આત્મપ્રતિપત્તિ = આત્માનું જ્ઞાન; સ્વને જાણવું તે.

+અભ્યંતરપ્રતિપત્તિ = અંતરંગનું પ્રકાશન; સ્વને પ્રકાશવું તે.