प्रकटतरसुद्रष्टिः सर्वलोकप्रदर्शी ।
स भवति परमश्रीकामिनीकामरूपः ।।२८०।।
મુગટોમાં પ્રકાશતી કીમતી માળાઓથી પૂજાય છે (અર્થાત્ જેમનાં ચરણોમાં ઇન્દ્રો તથા ચક્રવર્તીઓનાં મણિમાળાયુક્ત મુગટવાળાં મસ્તકો અત્યંત ઝૂકે છે), અને (લોકાલોકના સમસ્ત) પદાર્થો એકબીજામાં પ્રવેશ ન પામે એવી રીતે ત્રણ લોક અને અલોક જેમનામાં એકી સાથે જ વ્યાપે છે (અર્થાત્ જે જિનેન્દ્રને યુગપદ્ જણાય છે), તે જિનેન્દ્ર જયવંત છે.’’
વળી (આ ૧૬૪ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે)ઃ —
[શ્લોકાર્થઃ — ] જ્ઞાનપુંજ એવો આ આત્મા અત્યંત સ્પષ્ટ દર્શન થતાં (અર્થાત્ કેવળદર્શન પ્રગટ થતાં) વ્યવહારનયથી સર્વ લોકને દેખે છે તથા (સાથે વર્તતા કેવળજ્ઞાનને લીધે) સમસ્ત મૂર્ત-અમૂર્ત પદાર્થસમૂહને જાણે છે. તે (કેવળદર્શનજ્ઞાનયુક્ત) આત્મા પરમશ્રીરૂપી કામિનીનો (મુક્તિસુંદરીનો) વલ્લભ થાય છે. ૨૮૦.
અન્વયાર્થઃ — [निश्चयनयेन] નિશ્ચયનયથી [ज्ञानम्] જ્ઞાન [आत्मप्रकाशं] સ્વપ્રકાશક છે; [तस्मात्] તેથી [दर्शनम्] દર્શન સ્વપ્રકાશક છે. [निश्चयनयेन] નિશ્ચયનયથી [आत्मा] આત્મા [आत्मप्रकाशः] સ્વપ્રકાશક છે; [तस्मात्] તેથી [दर्शनम्] દર્શન સ્વપ્રકાશક છે.