क्वचिद् द्रविणरक्षणे मतिमिमां च चक्रे पुनः ।
निजात्मनि रतो भवेद् व्रजति मुक्ति मेतां हि सः ।।9।।
કથન કર્યું છે. નિજ પરમાત્મતત્ત્વનાં સમ્યક્શ્રદ્ધાન-જ્ઞાન-અનુષ્ઠાનરૂપ ✽શુદ્ધરત્નત્રયાત્મક માર્ગ પરમ નિરપેક્ષ હોવાથી મોક્ષનો ઉપાય છે અને તે શુદ્ધરત્નત્રયનું ફલ સ્વાત્મોપલબ્ધિ ( – નિજ શુદ્ધ આત્માની પ્રાપ્તિ) છે. [હવે બીજી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ — ] મનુષ્ય ક્યારેક કામિની પ્રત્યે રતિથી ઉત્પન્ન થતા સુખ તરફ ગતિ કરે છે અને વળી ક્યારેક ધનરક્ષાની બુદ્ધિ કરે છે. જે પંડિત ક્યારેક જિનવરના માર્ગને પામીને નિજ આત્મામાં રત થાય છે, તે ખરેખર આ મુક્તિને પામે છે. ૯.
અન્વયાર્થઃ — [सः नियमः] નિયમ એટલે [नियमेन च] નિયમથી (નક્કી) [यत् कार्यं] જે કરવાયોગ્ય હોય તે અર્થાત્ [ज्ञानदर्शनचारित्रम्] જ્ઞાનદર્શનચારિત્ર. [विपरीतपरिहारार्थं] વિપરીતના પરિહાર અર્થે ( – જ્ઞાનદર્શનચારિત્રથી વિરુદ્ધ ભાવોના ત્યાગ માટે) [खलु] ખરેખર
✽શુદ્ધરત્નત્રય અર્થાત્ નિજ પરમાત્મતત્ત્વની સમ્યક્ શ્રદ્ધા, તેનું સમ્યક્ જ્ઞાન અને તેનું સમ્યક્ આચરણ
પરની તેમ જ ભેદોની લેશ પણ અપેક્ષા રહિત હોવાથી તે શુદ્ધરત્નત્રય મોક્ષનો ઉપાય છે; તે
શુદ્ધરત્નત્રયનું ફળ શુદ્ધ આત્માની પૂર્ણ પ્રાપ્તિ અર્થાત્ મોક્ષ છે.