केवलबोधस्वरूपाख्यानमेतत् ।
षण्णां द्रव्याणां मध्ये मूर्तत्वं पुद्गलस्य पंचानाम् अमूर्तत्वम्; चेतनत्वं जीवस्यैव पंचानामचेतनत्वम् । मूर्तामूर्तचेतनाचेतनस्वद्रव्यादिकमशेषं त्रिकालविषयम् अनवरतं पश्यतो भगवतः श्रीमदर्हत्परमेश्वरस्य क्रमकरणव्यवधानापोढं चातीन्द्रियं च सकलविमलकेवलज्ञानं सकलप्रत्यक्षं भवतीति ।
तथा चोक्तं प्रवचनसारे —
અન્વયાર્થઃ — [मूर्तम् अमूर्तम्] મૂર્ત-અમૂર્ત [चेतनम् इतरत्] ચેતન-અચેતન [द्रव्यं] દ્રવ્યોને — [स्वकं च सर्वं च] સ્વને તેમ જ સમસ્તને [पश्यतः तु] દેખનારનું (જાણનારનું) [ज्ञानम्] જ્ઞાન [अतीन्द्रियं] અતીંદ્રિય છે, [प्रत्यक्षम् भवति] પ્રત્યક્ષ છે.
ટીકાઃ — આ, કેવળજ્ઞાનના સ્વરૂપનું કથન છે.
છ દ્રવ્યોમાં પુદ્ગલને મૂર્તપણું છે, (બાકીનાં) પાંચને અમૂર્તપણું છે; જીવને જ ચેતનપણું છે, (બાકીનાં) પાંચને અચેતનપણું છે. ત્રિકાળ સંબંધી મૂર્ત-અમૂર્ત ચેતન-અચેતન સ્વદ્રવ્યાદિ અશેષને (સ્વ તેમ જ પર સમસ્ત દ્રવ્યોને) નિરંતર દેખનાર ભગવાન શ્રીમદ્ અર્હત્પરમેશ્વરનું જે ક્રમ, ઇન્દ્રિય અને *વ્યવધાન વિનાનું, અતીન્દ્રિય સકળ-વિમળ (સર્વથા નિર્મળ) કેવળજ્ઞાન તે સકલપ્રત્યક્ષ છે.
એવી રીતે (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત) શ્રી પ્રવચનસારમાં (૫૪ મી ગાથા દ્વારા) કહ્યું છે કેઃ —
*વ્યવધાનના અર્થ માટે ૨૬મા પાનાનું પદટિપ્પણ જુઓ.