गुणगुणिनोः भेदाभावस्वरूपाख्यानमेतत् ।
सकलपरद्रव्यपराङ्मुखमात्मानं स्वस्वरूपपरिच्छित्तिसमर्थसहजज्ञानस्वरूपमिति हे शिष्य त्वं विद्धि जानीहि तथा विज्ञानमात्मेति जानीहि । तत्त्वं स्वपरप्रकाशं ज्ञानदर्शनद्वितयमित्यत्र संदेहो नास्ति ।
विद्धि] જ્ઞાન આત્મા છે એમ જાણ; — [न संदेहः] આમાં સંદેહ નથી. [तस्मात्] તેથી [ज्ञानं] જ્ઞાન [तथा] તેમ જ [दर्शनं] દર્શન [स्वपरप्रकाशं] સ્વપરપ્રકાશક [भवति] છે.
ટીકાઃ — આ, ગુણ-ગુણીમાં ભેદનો અભાવ હોવારૂપ સ્વરૂપનું કથન છે.
હે શિષ્ય! સર્વ પરદ્રવ્યથી પરાઙ્મુખ આત્માને તું નિજ સ્વરૂપને જાણવામાં સમર્થ સહજજ્ઞાનસ્વરૂપ જાણ, તથા જ્ઞાન આત્મા છે એમ જાણ. માટે તત્ત્વ ( – સ્વરૂપ) એમ છે કે જ્ઞાન તથા દર્શન બન્ને સ્વપરપ્રકાશક છે. આમાં સંદેહ નથી.
[હવે આ ૧૭૧ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ — ] આત્માને જ્ઞાનદર્શનરૂપ જાણ અને જ્ઞાનદર્શનને આત્મા જાણ; સ્વ અને પર એવા તત્ત્વને (સમસ્ત પદાર્થોને) આત્મા સ્પષ્ટપણે પ્રકાશે છે. ૨૮૭.
અન્વયાર્થઃ — [जानन् पश्यन्] જાણતા અને દેખતા હોવા છતાં, [केवलिनः]