Niyamsar (Gujarati).

< Previous Page   Next Page >


Page 340 of 380
PDF/HTML Page 369 of 409

 

૦ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

सर्वज्ञवीतरागस्य वांछाभावत्वमत्रोक्त म्

भगवानर्हत्परमेष्ठी साद्यनिधनामूर्तातीन्द्रियस्वभावशुद्धसद्भूतव्यवहारेण केवलज्ञानादि- शुद्धगुणानामाधारभूतत्वात् विश्वमश्रान्तं जानन्नपि पश्यन्नपि वा मनःप्रवृत्तेरभावादीहापूर्वकं वर्तनं न भवति तस्य केवलिनः परमभट्टारकस्य, तस्मात् स भगवान् केवलज्ञानीति प्रसिद्धः, पुनस्तेन कारणेन स भगवान् अबन्धक इति

तथा चोक्तं श्रीप्रवचनसारे

‘‘ण वि परिणमदि ण गेण्हदि उप्पज्जदि णेव तेसु अट्ठेसु
जाणण्णवि ते आदा अबंधगो तेण पण्णत्तो ।।’’

तथा हि કેવળીને [ईहापूर्वं] ઇચ્છાપૂર્વક (વર્તન) [न भवति] હોતું નથી; [तस्मात्] તેથી તેમને [केवलज्ञानी] ‘કેવળજ્ઞાની’ કહ્યા છે; [तेन तु] વળી તેથી [सः अबन्धकः भणितः] અબંધક કહ્યા છે.

ટીકાઅહીં, સર્વજ્ઞ વીતરાગને વાંછાનો અભાવ હોય છે એમ કહ્યું છે.

ભગવાન અર્હંત પરમેષ્ઠી સાદિ-અનંત અમૂર્ત અતીંદ્રિયસ્વભાવવાળા શુદ્ધસદ્ભૂત- વ્યવહારથી કેવળજ્ઞાનાદિ શુદ્ધ ગુણોના આધારભૂત હોવાને લીધે વિશ્વને નિરંતર જાણતા હોવા છતાં અને દેખતા હોવા છતાં, તે પરમ ભટ્ટારક કેવળીને મનપ્રવૃત્તિનો (મનની પ્રવૃત્તિનો, ભાવમનપરિણતિનો) અભાવ હોવાથી ઇચ્છાપૂર્વક વર્તન હોતું નથી; તેથી તે ભગવાન ‘કેવળજ્ઞાની’ તરીકે પ્રસિદ્ધ છે; વળી તે કારણથી તે ભગવાન અબંધક છે.

એવી રીતે (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત) શ્રી પ્રવચનસારમાં (૫૨મી ગાથા દ્વારા) કહ્યું છે કેઃ

‘‘[ગાથાર્થઃ] (કેવળજ્ઞાની) આત્મા પદાર્થોને જાણતો હોવા છતાં તે-રૂપે પરિણમતો નથી, તેમને ગ્રહતો નથી અને તે પદાર્થોરૂપે ઉત્પન્ન થતો નથી તેથી તેને અબંધક કહ્યો છે.’’

વળી (આ ૧૭૨મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે)ઃ

૩૪