Niyamsar (Gujarati).

< Previous Page   Next Page >


Page 342 of 380
PDF/HTML Page 371 of 409

 

નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

इह हि ज्ञानिनो बंधाभावस्वरूपमुक्त म्

सम्यग्ज्ञानी जीवः क्वचित् कदाचिदपि स्वबुद्धिपूर्वकं वचनं न वक्ति स्वमनःपरिणामपूर्वकमिति यावत कुतः ? अमनस्काः केवलिनः इति वचनात अतः कारणाज्जीवस्य मनःपरिणतिपूर्वकं वचनं बंधकारणमित्यर्थः, मनःपरिणामपूर्वकं वचनं केवलिनो न भवति; ईहापूर्वं वचनमेव साभिलाषात्मकजीवस्य बंधकारणं भवति, केवलि- मुखारविन्दविनिर्गतो दिव्यध्वनिरनीहात्मकः समस्तजनहृदयाह्लादकारणम्; ततः सम्यग्ज्ञानिनो बंधाभाव इति

પરિણામરહિત વચન હોય છે [तस्मात्] તેથી [ज्ञानिनः] જ્ઞાનીને (કેવળજ્ઞાનીને) [हि] ખરેખર [बंधः न] બંધ નથી.

[ईहापूर्वं] ઇચ્છાપૂર્વક [वचनं] વચન [जीवस्य च] જીવને [बंधकारणं] બંધનું કારણ [भवति] છે; [ईहारहितं वचनं] (જ્ઞાનીને) ઇચ્છારહિત વચન હોય છે [तस्मात्] તેથી [ज्ञानिनः] જ્ઞાનીને (કેવળજ્ઞાનીને) [हि] ખરેખર [बंधः न] બંધ નથી.

ટીકાઅહીં ખરેખર જ્ઞાનીને (કેવળજ્ઞાનીને) બંધના અભાવનું સ્વરૂપ કહ્યું છે.

સમ્યગ્જ્ઞાની (કેવળજ્ઞાની) જીવ ક્યાંય ક્યારેય સ્વબુદ્ધિપૂર્વક અર્થાત્ સ્વમન- પરિણામપૂર્વક વચન બોલતો નથી. કેમ? ‘अमनस्काः केवलिनः (કેવળીઓ મનરહિત છે)’ એવું (શાસ્ત્રનું) વચન હોવાથી. આ કારણથી (એમ સમજવું કે)જીવને મનપરિણતિપૂર્વક વચન બંધનું કારણ છે એવો અર્થ છે અને મનપરિણતિપૂર્વક વચન તો કેવળીને હોતું નથી; (વળી) ઇચ્છાપૂર્વક વચન જ *સાભિલાષસ્વરૂપ જીવને બંધનું કારણ છે અને કેવળીના મુખારવિંદમાંથી નીકળતો, સમસ્ત જનોનાં હૃદયને આહ્લાદના કારણભૂત દિવ્યધ્વનિ તો અનિચ્છાત્મક (ઇચ્છારહિત) હોય છે; માટે સમ્યગ્જ્ઞાનીને (કેવળજ્ઞાનીને) બંધનો અભાવ છે.

[હવે આ ૧૭૩-૧૭૪મી ગાથાઓની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ ત્રણ શ્લોક કહે છેઃ]

૩૪૨ ]

*સાભિલાષસ્વરૂપ = જેનું સ્વરૂપ સાભિલાષ (ઇચ્છાયુક્ત) હોય એવા