तस्मादेषः प्रकटमहिमा विश्वलोकैकभर्ता ।
सद्बोधस्थं भुवनमखिलं तद्गतं वस्तुजालम् ।
तस्मिन् काचिन्न भवति पुनर्मूर्च्छना चेतना च ।।२9०।।
रागाभावादतुलमहिमा राजते वीतरागः ।
ज्ञानज्योतिश्छुरितभुवनाभोगभागः समन्तात् ।।२9१।।
[શ્લોકાર્થઃ — ] આમનામાં (કેવળી ભગવાનમાં) ઇચ્છાપૂર્વક વચનરચનાનું સ્વરૂપ નથી જ; તેથી તેઓ પ્રગટ-મહિમાવંત છે અને સમસ્ત લોકના એક (અનન્ય) નાથ છે. તેમને દ્રવ્યભાવસ્વરૂપ એવો આ બંધ કઈ રીતે થાય? (કારણ કે) મોહના અભાવને લીધે તેમને ખરેખર સમસ્ત રાગદ્વેષાદિ સમૂહ તો છે નહિ. ૨૮૯.
[શ્લોકાર્થઃ — ] ત્રણ લોકના જેઓ ગુરુ છે, ચાર કર્મનો જેમણે નાશ કર્યો છે અને આખો લોક તથા તેમાં રહેલો પદાર્થસમૂહ જેમના સદ્જ્ઞાનમાં સ્થિત છે, તે (જિન ભગવાન) એક જ દેવ છે. તે નિકટ (સાક્ષાત્) જિન ભગવાનને વિષે નથી બંધ કે નથી મોક્ષ, તેમ જ તેમનામાં નથી કોઈ ૧મૂર્છા કે નથી કોઈ ૨ચેતના (કારણ કે દ્રવ્યસામાન્યનો પૂર્ણ આશ્રય છે.) ૨૯૦.
[શ્લોકાર્થઃ — ] આ જિન ભગવાનમાં ખરેખર ધર્મ અને કર્મનો પ્રપંચ નથી (અર્થાત્
૧. મૂર્છા = બેભાનપણું; બેશુદ્ધિ; અજ્ઞાનદશા.
૨. ચેતના = ભાનવાળી દશા; શુદ્ધિ; જ્ઞાનદશા.