प्रत्यक्षोऽद्य स्तवनविषयो नैव सिद्धः प्रसिद्धः ।
स्वात्मन्युच्चैरविचलतया निश्चयेनैवमास्ते ।।२9४।।
વડે — આયુકર્મનો ક્ષય થતાં, વેદનીય, નામ ને ગોત્ર નામની શેષ પ્રકૃતિઓનો સંપૂર્ણ નાશ થાય છે (અર્થાત્ ભગવાનને શુક્લધ્યાન વડે આયુકર્મનો ક્ષય થતાં બાકીનાં ત્રણ કર્મોનો પણ ક્ષય થાય છે અને સિદ્ધક્ષેત્ર તરફ સ્વભાવગતિક્રિયા થાય છે). શુદ્ધનિશ્ચયનયથી સહજ- મહિમાવાળા નિજ સ્વરૂપમાં લીન હોવા છતાં વ્યવહારે તે ભગવાન અર્ધ ક્ષણમાં (સમયમાત્રમાં) લોકાગ્રે પહોંચે છે.
[હવે આ ૧૭૬ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ ત્રણ શ્લોક કહે છેઃ] [શ્લોકાર્થઃ — ] જેઓ છ અપક્રમ સહિત છે એવા ભવવાળા જીવોના ( – સંસારીઓના) લક્ષણથી સિદ્ધોનું લક્ષણ ભિન્ન છે, તેથી તે સિદ્ધો ઊર્ધ્વગામી છે અને સદા શિવ (નિરંતર સુખી) છે. ૨૯૩.
[શ્લોકાર્થઃ — ] બંધનો છેદ થવાથી જેમનો અતુલ મહિમા છે એવા (અશરીરી અને લોકાગ્રસ્થિત) સિદ્ધભગવાન હવે દેવો અને વિદ્યાધરોના પ્રત્યક્ષ સ્તવનનો વિષય નથી જ એમ પ્રસિદ્ધ છે. તે દેવાધિદેવ વ્યવહારથી લોકના અગ્રે સુસ્થિત છે અને નિશ્ચયથી નિજ આત્મામાં એમ ને એમ અત્યંત અવિચળપણે રહે છે. ૨૯૪.
[શ્લોકાર્થઃ — ] (દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ ને ભાવ — એવાં પાંચ પરાવર્તનરૂપ) પાંચ