वेदनीयकर्माभावान्नैव विद्यते बाधा, पंचविधनोकर्माभावान्न मरणम्, पंचविधनोकर्म- हेतुभूतकर्मपुद्गलस्वीकाराभावान्न जननम् । एवंलक्षणलक्षिताक्षुण्णविक्षेपविनिर्मुक्त परमतत्त्वस्य सदा निर्वाणं भवतीति ।
जननमरणपीडा नास्ति यस्येह नित्यम् ।
स्मरसुखविमुखस्सन् मुक्ति सौख्याय नित्यम् ।।२9८।।
નથી; પાંચ પ્રકારનાં નોકર્મના અભાવને લીધે મરણ નથી; પાંચ પ્રકારનાં નોકર્મના હેતુભૂત કર્મપુદ્ગલના સ્વીકારના અભાવને લીધે જન્મ નથી. — આવાં લક્ષણોથી લક્ષિત, અખંડ, વિક્ષેપરહિત પરમતત્ત્વને સદા નિર્વાણ છે.
[હવે આ ૧૭૯ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ — ] આ લોકમાં જેને સદા ભવભવનાં સુખદુઃખ નથી, બાધા નથી, જન્મ, મરણ અને પીડા નથી, તેને ( – તે પરમાત્માને) હું, મુક્તિસુખની પ્રાપ્તિ અર્થે, કામદેવના સુખથી વિમુખ વર્તતો થકો નિત્ય નમું છું, સ્તવું છું, સમ્યક્ પ્રકારે ભાવું છું. ૨૯૮.
[શ્લોકાર્થઃ — ] આત્માની આરાધના રહિત જીવને સાપરાધ ( – અપરાધી) ગણવામાં આવ્યો છે. (તેથી) હું આનંદમંદિર આત્માને (આનંદના ઘરરૂપ નિજાત્માને) નિત્ય નમું છું. ૨૯૯.
*યાતનાશરીરના અભાવને લીધે પીડા નથી; અશાતાવેદનીય કર્મના અભાવને લીધે બાધા
*યાતના = વેદના; પીડા. (શરીર વેદનાની મૂર્તિ છે.)