स्मरतिरसुरनाथः प्रास्तदुष्टाघयूथः ।
दिशतु शमनिशं नो नेमिरानन्दभूमिः ।।१३।।
तीर्थंकरपरमदेवस्वरूपाख्यानमेतत् । आत्मगुणघातकानि घातिकर्माणि ज्ञानदर्शनावरणान्तरायमोहनीयकर्माणि, तेषां
[શ્લોકાર્થઃ — ] જે સો ઇન્દ્રોથી પૂજ્ય છે, જેમનું સદ્બોધરૂપી (સમ્યગ્જ્ઞાનરૂપી) રાજ્ય વિશાળ છે, કામવિજયી (લૌકાંતિક) દેવોના જે નાથ છે, દુષ્ટ પાપોના સમૂહનો જેમણે નાશ કર્યો છે, શ્રી કૃષ્ણ જેમનાં ચરણોમાં નમ્યા છે, ભવ્યકમળના જે સૂર્ય છે (અર્થાત્ ભવ્યોરૂપી કમળોને વિકસાવવામાં જે સૂર્ય સમાન છે), તે આનંદભૂમિ નેમિનાથ ( – આનંદના સ્થાનરૂપ નેમિનાથ ભગવાન) અમને શાશ્વત સુખ આપો. ૧૩.
અન્વયાર્થઃ — [निःशेषदोषरहितः] (એવા) નિઃશેષ દોષથી જે રહિત છે અને [केवलज्ञानादिपरमविभवयुतः] કેવળજ્ઞાનાદિ પરમ વૈભવથી જે સંયુક્ત છે, [सः] તે [परमात्मा उच्यते] પરમાત્મા કહેવાય છે; [तद्विपरीतः] તેનાથી વિપરીત [परमात्मा न] તે પરમાત્મા નથી.
ટીકાઃ — આ, તીર્થંકર પરમદેવના સ્વરૂપનું કથન છે.
આત્માના ગુણોનો ઘાત કરનારાં ઘાતિકર્મો — જ્ઞાનાવરણીયકર્મ, દર્શનાવરણીયકર્મ, અંતરાયકર્મ અને મોહનીયકર્મ — છે; તેમનો નિરવશેષપણે પ્રધ્વંસ કર્યો હોવાથી ( – કાંઈ બાકી
૧૬ ]