Niyamsar (Gujarati). Shlok: 39 Gatha: 26.

< Previous Page   Next Page >


Page 55 of 380
PDF/HTML Page 84 of 409

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]
અજીવ અધિકાર
[ ૫૫
तथा हि
(अनुष्टुभ्)
स्कन्धैस्तैः षट्प्रकारैः किं चतुर्भिरणुभिर्मम
आत्मानमक्षयं शुद्धं भावयामि मुहुर्मुहुः ।।9।।
अत्तादि अत्तमज्झं अत्तंतं णेव इंदियग्गेज्झं
अविभागी जं दव्वं परमाणू तं वियाणाहि ।।२६।।
आत्माद्यात्ममध्यमात्मान्तं नैवेन्द्रियैर्ग्राह्यम्
अविभागि यद्द्रव्यं परमाणुं तद् विजानीहि ।।२६।।

परमाणुविशेषोक्ति रियम्

यथा जीवानां नित्यानित्यनिगोदादिसिद्धक्षेत्रपर्यन्तस्थितानां सहजपरमपारिणामिक- भावविवक्षासमाश्रयेण सहजनिश्चयनयेन स्वस्वरूपादप्रच्यवनत्वमुक्त म्, तथा परमाणुद्रव्याणां

વળી (૨૫મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોકદ્વારા પુદ્ગલની ઉપેક્ષા કરી શુદ્ધ આત્માની ભાવના કરે છે)

[શ્લોકાર્થઃ] તે છ પ્રકારના સ્કંધો કે ચાર પ્રકારના અણુઓ સાથે મારે શું છે? હું તો અક્ષય શુદ્ધ આત્માને ફરી ફરીને ભાવું છું. ૩૯.

જે આદિ-મધ્યે અંતમાં પોતે જ છે, અવિભાગી છે,
જે ઇન્દ્રિથી નહિ ગ્રાહ્ય છે, પરમાણુ જાણો તેહને. ૨૬.

અન્વયાર્થઃ[आत्मादि] પોતે જ જેનો આદિ છે, [आत्ममध्यम्] પોતે જ જેનું મધ્ય છે અને [आत्मान्तम्] પોતે જ જેનો અંત છે (અર્થાત્ જેના આદિમાં, મધ્યમાં અને અંતમાં પરમાણુનું નિજ સ્વરૂપ જ છે), [न एव इन्द्रियैः ग्राह्यम्] જે ઇન્દ્રિયોથી ગ્રાહ્ય (જણાવાયોગ્ય) નથી અને [यद् अविभागि] જે અવિભાગી છે, [तत्] તે [परमाणुं द्रव्यं] પરમાણુદ્રવ્ય [विजानीहि] જાણ.

ટીકાઃઆ, પરમાણુનું વિશેષ કથન છે.

જેમ સહજ પરમ પારિણામિકભાવની વિવક્ષાનો આશ્રય કરનારા સહજ નિશ્ચયનયની અપેક્ષાએ નિત્ય અને અનિત્ય નિગોદથી માંડીને સિદ્ધક્ષેત્ર પર્યંત રહેલા જીવોનું નિજ સ્વરૂપથી