परमाणुविशेषोक्ति रियम् ।
यथा जीवानां नित्यानित्यनिगोदादिसिद्धक्षेत्रपर्यन्तस्थितानां सहजपरमपारिणामिक- भावविवक्षासमाश्रयेण सहजनिश्चयनयेन स्वस्वरूपादप्रच्यवनत्वमुक्त म्, तथा परमाणुद्रव्याणां
વળી (૨૫મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોકદ્વારા પુદ્ગલની ઉપેક્ષા કરી શુદ્ધ આત્માની ભાવના કરે છે)ઃ
[શ્લોકાર્થઃ] તે છ પ્રકારના સ્કંધો કે ચાર પ્રકારના અણુઓ સાથે મારે શું છે? હું તો અક્ષય શુદ્ધ આત્માને ફરી ફરીને ભાવું છું. ૩૯.
અન્વયાર્થઃ[आत्मादि] પોતે જ જેનો આદિ છે, [आत्ममध्यम्] પોતે જ જેનું મધ્ય છે અને [आत्मान्तम्] પોતે જ જેનો અંત છે (અર્થાત્ જેના આદિમાં, મધ્યમાં અને અંતમાં પરમાણુનું નિજ સ્વરૂપ જ છે), [न एव इन्द्रियैः ग्राह्यम्] જે ઇન્દ્રિયોથી ગ્રાહ્ય (જણાવાયોગ્ય) નથી અને [यद् अविभागि] જે અવિભાગી છે, [तत्] તે [परमाणुं द्रव्यं] પરમાણુદ્રવ્ય [विजानीहि] જાણ.
ટીકાઃઆ, પરમાણુનું વિશેષ કથન છે.
જેમ સહજ પરમ પારિણામિકભાવની વિવક્ષાનો આશ્રય કરનારા સહજ નિશ્ચયનયની અપેક્ષાએ નિત્ય અને અનિત્ય નિગોદથી માંડીને સિદ્ધક્ષેત્ર પર્યંત રહેલા જીવોનું નિજ સ્વરૂપથી