Niyamsar (Gujarati). Shlok: 42 Gatha: 29.

< Previous Page   Next Page >


Page 59 of 380
PDF/HTML Page 88 of 409

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]
અજીવ અધિકાર
[ ૫૯

पुद्गलपर्यायस्वरूपाख्यानमेतत

परमाणुपर्यायः पुद्गलस्य शुद्धपर्यायः परमपारिणामिकभावलक्षणः वस्तुगतषट्प्रकार- हानिवृद्धिरूपः अतिसूक्ष्मः अर्थपर्यायात्मकः सादिसनिधनोऽपि परद्रव्यनिरपेक्षत्वाच्छुद्धसद्भूत- व्यवहारनयात्मकः अथवा हि एकस्मिन् समयेऽप्युत्पादव्ययध्रौव्यात्मकत्वात्सूक्ष्मऋजुसूत्र- नयात्मकः स्कन्धपर्यायः स्वजातीयबन्धलक्षणलक्षितत्वादशुद्ध इति

(मालिनी)
परपरिणतिदूरे शुद्धपर्यायरूपे
सति न च परमाणोः स्कन्धपर्यायशब्दः
भगवति जिननाथे पंचबाणस्य वार्ता
न च भवति यथेयं सोऽपि नित्यं तथैव
।।४२।।

पोग्गलदव्वं उच्चइ परमाणू णिच्छएण इदरेण

पोग्गलदव्वो त्ति पुणो ववदेसो होदि खंधस्स ।।9।। [स्कंधस्वरूपेण परिणामः] સ્કંધરૂપે પરિણામ [सः] તે [विभावपर्यायः] વિભાવપર્યાય છે.

ટીકાઃઆ, પુદ્ગલપર્યાયના સ્વરૂપનું કથન છે.

પરમાણુપર્યાય પુદ્ગલનો શુદ્ધપર્યાય છેકે જે પરમપારિણામિકભાવસ્વરૂપ છે, વસ્તુમાં થતી છ પ્રકારની હાનિવૃદ્ધિરૂપ છે, અતિસૂક્ષ્મ છે, અર્થપર્યાયાત્મક છે અને સાદિ-સાન્ત હોવા છતાં પરદ્રવ્યથી નિરપેક્ષ હોવાને લીધે શુદ્ધસદ્ભૂતવ્યવહારનયાત્મક છે અથવા એક સમયમાં પણ ઉત્પાદવ્યયધ્રૌવ્યાત્મક હોવાથી સૂક્ષ્મૠજુસૂત્રનયાત્મક છે.

સ્કંધપર્યાય સ્વજાતીય બંધરૂપ લક્ષણથી લક્ષિત હોવાને લીધે અશુદ્ધ છે. [હવે ટીકાકાર મુનિરાજ ૨૮મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં શ્લોક કહે છેઃ] [શ્લોકાર્થઃ] (પરમાણુ) પરપરિણતિથી દૂર શુદ્ધપર્યાયરૂપ હોવાથી પરમાણુને સ્કંધપર્યાયરૂપ શબ્દ હોતો નથી; જેમ ભગવાન જિનનાથમાં કામદેવની વાર્તા હોતી નથી, તેમ પરમાણુ પણ સદા અશબ્દ જ હોય છે (અર્થાત્ પરમાણુને પણ કદી શબ્દ હોતો નથી). ૪૨.

પરમાણુને ‘પુદ્ગલદરવ’ વ્યપદેશ છે નિશ્ચય થકી;
ને સ્કંધને ‘પુદ્ગલદરવ’ વ્યપદેશ છે વ્યવહારથી. ૨૯.