पुद्गलद्रव्यव्याख्यानोपसंहारोऽयम् ।
स्वभावशुद्धपर्यायात्मकस्य परमाणोरेव पुद्गलद्रव्यव्यपदेशः शुद्धनिश्चयेन । इतरेण व्यवहारनयेन विभावपर्यायात्मनां स्कन्धपुद्गलानां पुद्गलत्वमुपचारतः सिद्धं भवति ।
त्यजतु परमशेषं चेतनाचेतनं च ।
परविरहितमन्तर्निर्विकल्पे समाधौ ।।४३।।
અન્વયાર્થઃ[निश्चयेन] નિશ્ચયથી [परमाणुः] પરમાણુને [पुद्गलद्रव्यम्] ‘પુદ્ગલદ્રવ્ય’ [उच्यते] કહેવાય છે [पुनः] અને [इतरेण] વ્યવહારથી [स्कन्धस्य] સ્કંધને [पुद्गलद्रव्यम् इति व्यपदेशः] ‘પુદ્ગલદ્રવ્ય’ એવું નામ [भवति] હોય છે.
ટીકાઃઆ, પુદ્ગલદ્રવ્યના કથનનો ઉપસંહાર છે.
શુદ્ધનિશ્ચયનયથી સ્વભાવશુદ્ધપર્યાયાત્મક પરમાણુને જ ‘પુદ્ગલદ્રવ્ય’ એવું નામ હોય છે. અન્ય એવા વ્યવહારનયથી વિભાવપર્યાયાત્મક સ્કંધપુદ્ગલોને પુદ્ગલપણું ઉપચાર દ્વારા સિદ્ધ થાય છે.
[હવે ૨૯મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ ત્રણ શ્લોકો કહે છેઃ] [શ્લોકાર્થઃ] એ રીતે જિનપતિના માર્ગ દ્વારા તત્ત્વાર્થસમૂહને જાણીને પર એવાં સમસ્ત ચેતન અને અચેતનને ત્યાગો; અંતરંગમાં નિર્વિકલ્પ સમાધિને વિષે પરવિરહિત (પરથી રહિત) ચિત્ચમત્કારમાત્ર પરમતત્ત્વને ભજો. ૪૩.
[શ્લોકાર્થઃ] પુદ્ગલ અચેતન છે અને જીવ ચેતન છે એવી જે કલ્પના તે પણ
૬૦ ]