Niyamsar (Gujarati). Shlok: 48-49.

< Previous Page   Next Page >


Page 67 of 380
PDF/HTML Page 96 of 409

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]
અજીવ અધિકાર
[ ૬૭
‘‘लोयायासपदेसे एक्केक्के जे ट्ठिया हु एक्केक्का
रयणाणं रासी इव ते कालाणू असंखदव्वाणि ।।’’
उक्तं च मार्गप्रकाशे
(अनुष्टुभ्)
‘‘कालाभावे न भावानां परिणामस्तदंतरात
न द्रव्यं नापि पर्यायः सर्वाभावः प्रसज्यते ।।’’
तथा हि
(अनुष्टुभ्)
वर्तनाहेतुरेषः स्यात् कुम्भकृच्चक्रमेव तत
पंचानामस्तिकायानां नान्यथा वर्तना भवेत।।४८।।
(अनुष्टुभ्)
प्रतीतिगोचराः सर्वे जीवपुद्गलराशयः
धर्माधर्मनभः कालाः सिद्धाः सिद्धान्तपद्धतेः ।।9।।

‘‘[ગાથાર્થઃ] લોકાકાશના એક એક પ્રદેશે જે એક એક કાલાણુ રત્નોના રાશિની માફક ખરેખર સ્થિત છે, તે કાલાણુઓ અસંખ્ય દ્રવ્યો છે.’’

વળી માર્ગપ્રકાશમાં પણ (શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ

‘‘[શ્લોકાર્થઃ] કાળના અભાવમાં, પદાર્થોનું પરિણમન ન હોય; અને પરિણમન ન હોય તો, દ્રવ્ય પણ ન હોય તથા પર્યાય પણ ન હોય; એ રીતે સર્વના અભાવનો (શૂન્યનો) પ્રસંગ આવે.’’

વળી (૩૨મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોક કહે છે)ઃ

[શ્લોકાર્થઃ] કુંભારના ચક્રની માફક (અર્થાત્ જેમ ઘડો થવામાં કુંભારનો ચાકડો નિમિત્ત છે તેમ), આ પરમાર્થકાળ (પાંચ અસ્તિકાયોની) વર્તનાનું નિમિત્ત છે. એના વિના, પાંચ અસ્તિકાયોને વર્તના (પરિણમન) હોઈ શકે નહિ. ૪૮.

[શ્લોકાર્થઃ] સિદ્ધાંતપદ્ધતિથી (શાસ્ત્રપરંપરાથી) સિદ્ધ એવાં જીવરાશિ, પુદ્ગલ-