Niyamsar (Gujarati). Gatha: 33.

< Previous Page   Next Page >


Page 68 of 380
PDF/HTML Page 97 of 409

 

નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
जीवादीदव्वाणं परिवट्टणकारणं हवे कालो
धम्मादिचउण्हं णं सहावगुणपज्जया होंति ।।३३।।
जीवादिद्रव्याणां परिवर्तनकारणं भवेत्कालः
धर्मादिचतुर्णां स्वभावगुणपर्याया भवंति ।।३३।।

कालादिशुद्धामूर्ताचेतनद्रव्याणां स्वभावगुणपर्यायाख्यानमेतत

इह हि मुख्यकालद्रव्यं जीवपुद्गलधर्माधर्माकाशानां पर्यायपरिणतिहेतुत्वात् परि- वर्तनलिङ्गमित्युक्त म् अथ धर्माधर्माकाशकालानां स्वजातीयविजातीयबंधसम्बन्धाभावात विभावगुणपर्यायाः न भवंति, अपि तु स्वभावगुणपर्याया भवंतीत्यर्थः ते गुणपर्यायाः पूर्वं प्रतिपादिताः, अत एवात्र संक्षेपतः सूचिता इति


રાશિ, ધર્મ, અધર્મ, આકાશ ને કાળ બધાંય પ્રતીતિગોચર છે (અર્થાત્ છ યે દ્રવ્યોની પ્રતીતિ થઈ શકે છે). ૪૯.

જીવપુદ્ગલાદિ પદાર્થને પરિણમનકારણ કાળ છે;
ધર્માદિ ચાર સ્વભાવગુણપર્યાયવંત પદાર્થ છે. ૩૩.

અન્વયાર્થઃ[जीवादिद्रव्याणाम्] જીવાદિ દ્રવ્યોને [परिवर्तनकारणम्] પરિવર્તનનું કારણ (વર્તનાનું નિમિત્ત) [कालः भवेत्] કાળ છે. [धर्मादिचतुर्णां] ધર્માદિ ચાર દ્રવ્યોને [स्वभावगुणपर्यायाः] સ્વભાવગુણપર્યાયો [भवंति] હોય છે.

ટીકાઃઆ, કાળાદિ શુદ્ધ અમૂર્ત અચેતન દ્રવ્યોના સ્વભાવગુણપર્યાયોનું કથન છે.

મુખ્યકાળદ્રવ્ય, જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને આકાશની (પાંચ અસ્તિકાયોની) પર્યાયપરિણતિનો હેતુ હોવાથી તેનું લિંગ પરિવર્તન છે (અર્થાત્ કાળદ્રવ્યનું લક્ષણ વર્તનાહેતુત્વ છે) એમ અહીં કહ્યું છે.

હવે (બીજી વાત એ કે), ધર્મ, અધર્મ, આકાશ અને કાળને સ્વજાતીય કે વિજાતીય બંધનો સંબંધ નહિ હોવાથી તેમને વિભાવગુણપર્યાયો હોતા નથી, પરંતુ સ્વભાવગુણપર્યાયો હોય છેએમ અર્થ છે. તે સ્વભાવગુણપર્યાયોનું પૂર્વે પ્રતિપાદન કરવામાં આવ્યું છે તેથી જ અહીં સંક્ષેપથી સૂચન કરવામાં આવ્યું છે.

૬૮ ]