विवरणमतिरम्यं भव्यकर्णामृतं यत् ।
भवतु भवविमुक्त्यै सर्वदा भव्यजन्तोः ।।५०।।
अत्र कालद्रव्यमन्तरेण पूर्वोक्त द्रव्याण्येव पंचास्तिकाया भवंतीत्युक्त म् । इह हि द्वितीयादिप्रदेशरहितः कालः, ‘समओ अप्पदेसो’ इति वचनात् ।
[હવે ૩૩મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ] [શ્લોકાર્થઃ] એ રીતે ભવ્યોનાં કર્ણોને અમૃત એવું જે છ દ્રવ્યોનું અતિ રમ્ય દેદીપ્યમાન (-સ્પષ્ટ) વિવરણ વિસ્તારથી કરવામાં આવ્યું, તે જિનમુનિઓના ચિત્તને પ્રમોદ દેનારું ષટ્દ્રવ્યવિવરણ ભવ્ય જીવને સર્વદા ભવવિમુક્તિનું કારણ હો. ૫૦.
અન્વયાર્થઃ[कालं मुक्त्वा] કાળ છોડીને [एतानि षड्द्रव्याणि च] આ છ દ્રવ્યોને (અર્થાત્ બાકીનાં પાંચ દ્રવ્યોને) [जिनसमये] જિનસમયમાં (જિનદર્શનમાં) [अस्तिकायाः इति] ‘અસ્તિકાય’ [निर्दिष्टाः] કહેવામાં આવ્યાં છે. [बहुप्रदेशत्वम्] બહુપ્રદેશીપણું [खलु कायाः] તે કાયત્વ છે.
ટીકાઃઆ ગાથામાં કાળદ્રવ્ય સિવાય પૂર્વોક્ત દ્રવ્યો જ પંચાસ્તિકાય છે એમ કહ્યું છે.
અહીં (આ વિશ્વમાં) કાળ દ્વિતીયાદિ પ્રદેશ રહિત (અર્થાત્ એક કરતાં વધારે પ્રદેશો વિનાનો) છે, કારણ કે ‘समओ अप्पदेसो (કાળ અપ્રદેશી છે)’ એવું (શાસ્ત્રનું) વચન